ભરૂચ
વાગરાના લુવારા ગામના દરજી ફળિયામાં રહેતાં વિશાલ દશરથ ટેલર દહેજ સેઝરમાં આવેલી રાલીઝ ઈન્ડીયા કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. તે નોકરીએ ગયો હતો. તે વેળાં તેના કાકાએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના દાદા ઠાકોર લખુભાઈ ટેલ સવારે 6 વાગે લુવારા ગામેથી તેમની બાઈક લઈને ગંધાર ગામે આવેલાં બલબાઈ માતાના મંદીરે નિત્યક્રમની જેમ દર્શને ગયાં હતાં. જયારંથી તેઓ પરત આવી રહ્યાં હતાં. તે વેળાં લખીગામ પાસે રિલાયન્સ સર્કલ પાસે એક ઈકો કારના ચાલકે પુરઝડપે ધસી આવી ખાલી સાઈડથી તેમના દાદાની બાઈકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયાં હતાં ઈકો કારના ચાલક રવિન્દ્રસિંહ કિરતારસિંહ સોલંકીએ તેમને તાત્કાલિક સારવાર માટે પોતાની ઈકોમાં બેસાડી બીરલા કોપર કંપનીમાં આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યાં પણ તેમની તબીયતમાં સુધારો ન જણાતાં તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જયાં તબીબે તેમનું મૃત્યુ થયાનું જણાવ્યું હતું. બનાવને પગલે વિશાલ ટેલરે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાય ધરી છે.
