Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગે નંદેલાવથી ચાવજ ચોકડીના દબાણો દૂર કર્યા : ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કામગીરી હાથ ધરાઈ, અગાઉથી નોટિસ અપાઈ હતી

Share

 

ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને શુક્રવારે માર્ગ અને મકાન વિભાગની ટીમે નંદેલાવ ચોકડીથી ચાવજ ચોકડી સુધીના માર્ગ પર કરવામાં આવેલાં દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અભિયાન અંતર્ગત રોડની બન્ને તરફ મધ્યરેખાથી ૧૫ મીટરની હદમાં આવતાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. વિભાગ દ્વારા અગાઉ વિસ્તારમાં માપણી કરી કેટલાંક દુકાનદારો સહિત અન્ય ઈમારતના માલિકોને નોટિસ આપવામાં આવી હતી.

Advertisement

તેમજ તેમને સ્વૈચ્છિક રીતે તેમના દબાણો દૂર કરવાની તક આપી હતી. જોકે, તેમ છતાં દબાણો દૂર નહીં થતાં માર્ગ અને મકાન વિભાગની ટીમે રસ્તાની હદમાં આવતાં શેડ, ઓટલાં, લારી-ગલ્લા તેમજ અન્ય બાંધકામો દૂરકર્યા હતાં. કાર્યવાહીના સમયે કોઈ માથાભારે શખ્સો દ્વારા કામગીરીમાં અડચણ ઉભું ન કરાય અને કામગીરી સરળતાથી પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગની નિર્ધારિત પહોળાઈ જાળવવા તેમજ વાહનવ્યવહાર વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ અભિયાન હાથ ધરાયું છે. તેમણે ઉમેયું હતું કે, આગામી દિવસોમાં પણ ટીમની કાર્યવાહી જારી રહેશે.


Share

Related posts

તવરા ગામના મંગલમઠ ખાતે રાજસ્થાનના શ્રી શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજનું સ્વાગત કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં અવેરનસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

દાહોદની ચોરી કરતી પુખ્યાત ગેંગના સાગરીતની ભરૂચ જિલ્લાના ચોરી પ્રકરણોમાં પણ સંડોવણી.જાણો કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!