Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માવતરને લજાવતો કિસ્સો! નર્મદા કિનારે નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો : જે માસૂમને હજુ દુનિયા જોવાની તક પણ મળી નહોતી, તેને નદી કાંઠે ત્યજી દેવાઈ; ઘટનાથી અરેરાટી

Share

 

ભરૂચ  :

Advertisement

 

માવતરને લજાવતો અને માનવતાને હચમચાવી નાખે તેવો કિસ્સો અંકલેશ્વર નજીક સામે આવ્યો છે. નર્મદા નદીના કિનારે માછીમારી કરી રહેલા માછીમારોની નજર નવજાત બાળકીના બિનવારસી મૃતદેહ પર પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

નદી કિનારે નવજાત બાળકીનો મૃતદેહ પડેલો જોવા મળતાં માછીમારોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બાળકીના મૃતદેહને પોલીસને સોંપ્યો હતો.

પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું, તેનો જન્મ ક્યાં થયો હતો અને આ માસૂમને નદી કિનારે કોણ અને શા માટે ત્યજી ગયું? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જીવનની શરૂઆત સાથે જ જે બાળકીનું અસ્તિત્વ નદી કિનારે આવી રીતે સમાપ્ત થયું તે ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. માતાની કૂખમાંથી જન્મેલી માસૂમને મમતાની છત્રછાયા મળવાને બદલે મોત મળ્યું હોવાની આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

નિર્દોષ બાળકીના મૃતદેહને બિનવારસી હાલતમાં છોડી જનાર વ્યક્તિ સુધી પોલીસ પહોંચે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.


Share

Related posts

જંબુસર અલ મહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અલ મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે આજરોજથી જિલ્લા આરોગ્ય તેમજ વહિવટી તંત્ર દ્વારા કોવિડ ૧૯ હોસ્પિટલ તરીકેની મંજૂરી મળતા પંથકનાં દર્દીઓને રાહત મળશે.

ProudOfGujarat

માંડલમાં ગૌરીવ્રત ઉજવણી દરમિયાન આચાર્ય પરિવારે સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું…

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ લગભગ તમામ દુકાનો બંધ રહે તેવી સંભાવના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!