Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આદિવાસી વિસ્તારોમાં અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ધારાસભ્ય છોટુ વસાવાએ પત્ર લખી મુખ્યમંત્રી પાસે માંગણી કરી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા વિધાનસભાનાં ધારાસભ્ય છોટુ ભાઈ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી ટ્રાયબલ પ્રોજેકટ હેઠળના પ્રાયોજનનાં વહીવટદાર કચેરીઓ ખાતે અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા માંગ કરી છે. વધુમાં ધારાસભ્ય છોટુ ભાઈ વસાવાએ લખેલ પત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં કાચા પાકા ઝૂંપડામાં રહી વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો ચોમાસુ નજીક આવે ત્યારે રહેઠાણનાં ઘરોમાં ઘાસચારો ભરી રાખે છે,યોગ્ય લાઈટ ફિટિંગના અભાવે શોર્ટ સર્કિટનાં કિસ્સાઓ બનતા આવ્યા છે. આગ લાગવાના બનાવો રોકવા માટે ૧૨ જેટલા પ્રયોજના કચેરીઓનાં મુખ્ય મથકે અગ્નિશામકદળ તથા ફાયર સેફટીમાં સાધનો ઉભા કરવા માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં આગની ધટનાઓને ગંભીરતાથી લેતા પાલિકા કમિશનર અને બંછાનિધી પાની દ્વારા સુડા ભવન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સ્ટ્રીમિંગમાં અભિષેક બચ્ચનની સફળતા અને સ્માર્ટ પસંદગીઓ

ProudOfGujarat

ગૌવંશના મુખ્ય આરોપીની ધરપકડ કરવા ગયેલ પોલીસ પર હુમલો થતાં પોલીસ બેડામાં ભારે ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!