Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આદિવાસી વિસ્તારોમાં અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ધારાસભ્ય છોટુ વસાવાએ પત્ર લખી મુખ્યમંત્રી પાસે માંગણી કરી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા વિધાનસભાનાં ધારાસભ્ય છોટુ ભાઈ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી ટ્રાયબલ પ્રોજેકટ હેઠળના પ્રાયોજનનાં વહીવટદાર કચેરીઓ ખાતે અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા માંગ કરી છે. વધુમાં ધારાસભ્ય છોટુ ભાઈ વસાવાએ લખેલ પત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં કાચા પાકા ઝૂંપડામાં રહી વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો ચોમાસુ નજીક આવે ત્યારે રહેઠાણનાં ઘરોમાં ઘાસચારો ભરી રાખે છે,યોગ્ય લાઈટ ફિટિંગના અભાવે શોર્ટ સર્કિટનાં કિસ્સાઓ બનતા આવ્યા છે. આગ લાગવાના બનાવો રોકવા માટે ૧૨ જેટલા પ્રયોજના કચેરીઓનાં મુખ્ય મથકે અગ્નિશામકદળ તથા ફાયર સેફટીમાં સાધનો ઉભા કરવા માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

બોલેરો પીકઅપ ગાડી માંથી જંગી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહ યોજાશે….

ProudOfGujarat

છોટાઉદેપુર : પાણીબાર ગામમાં એક બુટલેગરને ત્યાં રેડ કરી 97 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!