Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના તીર્થ નગરમાં અમદાવાદથી આવેલ પરિવારનાં બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારને આરોગ્ય તપાસ માટે મોકલી આપી બાળકને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ નહીં વધે તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. પરંતુ બહારથી આવેલા લોકોના કારણે ફરી જિલ્લામાં કોઈને કોઈ કોરોના પોઝિટિવ દર્દી હોવાનો રિપોર્ટ બહાર આવે છે. ત્યાં અંકલેશ્વરના તીર્થ નગરમાં અમદાવાદથી આવેલ બાળકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદથી આવેલ પરિવારને આરોગ્ય તપાસમાં છ વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને લઇ તેના પરિવારજનોને તાત્કાલિક ધોરણે ફરી આરોગ્ય તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે બાળકને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 38 પર પહોંચી છે, 3 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંડર ગ્રાઉન્ડ ગટર બ્લોક થતાં લોકોના ઘરમાં દૂષિત પાણી પ્રવેશ્યાં

ProudOfGujarat

ભરૂચ શહેરમાં એક મહિનામાં ૧૦૯૪ લોકો પર શ્વાનનો હુમલો : તંત્રએ એક્શનમાં આવી ૧૫૦ શ્વાનનું ખસ્સીકરણ કર્યું

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીની મહિલાઓએ માર્ગને ઉચા કરવા અને પેવરબ્લોક મુદ્દે કરેલ રજુઆતની નિરાકરણ નહી આવતા માર્ગ બંધ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!