Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોવિડ-19 બાબતે ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર જાગ્યા ત્યારથી સવાર જાણો વધુ.

Share

ભરૂચ નગરમાં કોરોના મહામારી વ્યાપક પ્રમાણમાં ફેલાય રહી છે. તેમાં નગરપાલિકાનાં કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે જે પૈકી એક કર્મચારીનું મોત પણ નીપજયું હતું. ગતરોજ વિરોધપક્ષનાં દંડક અને નગરપાલિકાનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ નગરપાલિકાઓના કર્મચારીઓનાં અને ખાસ કરીને કોરોના વોરિયરનાં હિતોની રક્ષા અને જાનની સલામતી માટે વીમો લેવા સૂચન કરતું આવેદનપત્ર પાઠવ્યું હતુ. ત્યારબાદ ભરૂચ નગરપાલિકાનાં મુખ્ય અધિકારીએ સરકારી ગાઈડલાઇન મુજબ કર્મચારીઓને સાવધાનીપૂર્વક કોરોનાથી બચવા કાર્યાલય આદેશ બહાર પાડયો હતો. જેમાં જે શાખામાં કામ કરતાં કર્મચારીને કોરોના પોઝીટિવ કેસ આવે તો તે કર્મચારી સાથે સંપર્કમાં આવેલ જે તે કર્મચારીઓએ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ફરજિયાતપણે હોમકોરન્ટાઇન થવાનું રહેશે. આ ઉપરાંત કોઈ પણ કર્મચારીને શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણ દેખાય તો તે કર્મચારીએ પોતાના શાખા અધિકારીને જાણ કરી વર્ક ફોર્મ હોમની કામગીરી કરવાની રહેશે. કોંગ્રેસનાં દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ પાઠવેલ આવેદનપત્ર બાદ નગરપાલિકાનાં મુખ્ય અધિકારીની આંખ ઉધડી જેના ભાગરૂપે કર્મચારીઓનાં હિતમાં કોવિડ 19 નાં નિયમો અનુસાર કામગીરી કરાશે અને તે અંગે સૂચનો પાઠવ્યા હતા. નગરપાલિકાનાં ચીફ ઓફિસર આ બાબતે વધુ જાગૃતતા દાખવે જેથી નગરપાલિકાનાં કોરોના વોરિયરઓનાં જીવન જોખમમાં ન મુકાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

વાંકલનાં મુખ્ય માર્ગ પર ટ્રક અને ડમ્પરોમાંથી પથ્થર-મેટલ માર્ગ પર પડતાં વાહનચાલકોને હાલાકી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં હસ્તે હાલોલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોનું લોકોર્પણ.

ProudOfGujarat

તવરા ગામના મંગલમઠ ખાતે રાજસ્થાનના શ્રી શ્રી 1008 અવધેશ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજનું સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!