Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સિંધવાઈ માતાનાં મંદિર પાસે વૃક્ષ ધરાશાય થયું

Share

ભરૂચ નગર સિંધવાઈ માતાનાં પ્રાચીન મંદિર પાસે આવેલ એક વૃક્ષ ધરાશાય થયું હતુ. કડાકા ભેર આ વૃક્ષ ધરાશાય થયું હતુ. આ તોતિંગ વૃક્ષ તૂટી પડયું તેની પાસે જ સાંસદ મનસુખ વસાવાની કાર પાર્ક કરેલ હતી. સાંસદ મનસુખ વસાવા મિટિંગમાં હાજરી આપવા વિશ્વકર્માની વાડીમાં આવ્યા હતા તેમની કારને કોઈ નુકશાન થયું ન હતું.

જોકે આ ઘટનાનાં પગલે નાસભાગ મચી ગઇ હતી. આ તોતિંગ વૃક્ષ ધરાશાય થતાં તરત જ ફાયરબ્રિગેડનાં જવાનોને જાણ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી. જોકે ગણતરીનાં સમયમાં ફાયરબ્રિગેડનાં જાવાનોએ રસ્તા પરથી ઝાડ દૂર કરાતા ટ્રાફિકની સમસ્યા હળવી તહતા વાહન વ્યવહાર ધીમે ધીમે શરૂ થયો હતો.

પરંતુ સાંસદ મનસુખ વસાવાની કાર નજીક જ વૃક્ષ ધરાશાય થઈ હોવાની ઘટના વાયુવેગે ફેલાતા સાંસદ પર સંખ્યાબંધ ફોન આવ્યા હતા અને કેટલાક લોકો ઘટના સ્થળ પર આવી ગયા હતા.

Advertisement

Share

Related posts

દાહોદના છાત્રોનું સાયન્સ ટેક્નોફેરમાં શ્રેષ્ઠ પ્રદર્શન..

ProudOfGujarat

“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે તા. 24 થી 31 ઓક્ટોબર સુધી ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્ક શોપ આયોજન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે લોક ડાઉનનાં ૬૫ માં દિવસે પાનનાં ગલ્લા અને દુકાનો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવતા પાન મસાલાનાં શોખીનો ગલ્લા ઉપર ઉમટયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!