Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં રસ્તાનું યુદ્ધનાં ધોરણે શરૂ થયેલ કામકાજ, નગરપાલિકાનાં દંડક અને કોંગ્રેસનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ અને અન્ય આગેવાનોએ આપેલ આવેદનપત્રનો પડધો પડયો તેમ જણાઈ રહ્યું છે.

Share

ભરૂચ નગરનાં તમામ મુખ્ય રસ્તા તેમજ અન્ય રસ્તાઓ પર ખૂબ ઊંડા ખાડાઓ જણાતા હતા જેના પગલે રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને વાંચા આપવા ભરૂચ નગરપાલિકાનાં દંડક અને સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા તેમજ તેમની સાથેના આગેવાનો દ્વારા ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તાકીદે રસ્તા રિપેરિંગ કામ કરવાની રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રની સીધી અસર થઈ હોય તેમ નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે રસ્તાનાં કામકાજ શરૂ કરી દેવાયા છે.

વિવિધ રસ્તાઓ પર પડેલ ઊંડા ખાડા પૂરવાની શરૂઆત કરાતા એક સાથે 5 થી 6 સાઇટ પર કામ શરૂ કરાતા આવેદનપત્રનો સીધો પડધો પડયો હોય અને તંત્ર દોડતું થયું હોય તેમ કહી શકાય.

Advertisement

Share

Related posts

ગોધરા :વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ની 136 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ પંથકનાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપુરાના મુસ્લિમોને ન્યાય આપવાની માંગ સાથે પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

અંકલેશ્વર-છેતરપિંડીનો વધુ એક બનાવ,એ.ટી.એમ કાર્ડ ગજવામાં હતો અને બેંકના એ.ટી.એમ માંથી પૈસા ઉપડી ગયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!