Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતાં આયોજનબદ્ધ રીતે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે.

Share

તાજેતરમાં નર્મદા નદીમાં 10 લાખ કયુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય હતી. જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવા અંગેનાં નિર્ણયને ઘણા લોકોએ ટીકા પણ કરી હતી. જયારે ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલએ આયોજનબદ્ધ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગણી સાથેનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો. આ પત્રની અસર થઈ હોય તેમ સરદાર સરોવર ડેમની જળસપાટી વધતાં નર્મદા નદીમાં આયોજનબદ્ધ રીતે 50 હજારથી 2 લાખ કયુસેક પાણી છોડવામાં આવશે તેવી વિગત સાંપડી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી માર્કેટ યાર્ડ હાટ બજારમાં ગેટ પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ

ProudOfGujarat

નડિયાદ : તેલનાર પાટીયા પાસેથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં એગ્રીકલ્ચર કોલેજ ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!