Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયામાં મુખ્યમંત્રીનાં હસ્તે પાણી પુરવઠાની ચાર યોજનાઓનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

Share

ભરૂચનાં વાલિયામાં મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી તેમાં જણાવ્યુ કે કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવાશે તેમજ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે બોલતા તેમણે જણાવ્યુ કે ખેડૂત આંદોલનનાં બહાને વિરોધ પક્ષે રાજકીય રોટલા શેકી રહ્યા છે.

આજરોજ રૂ.387 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર યોજનાઓ થકી આગામી સમયમાં ભરૂચ જિલ્લાની 3.45 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે તેમજ ભરૂચ જીલ્લાનાં નર્મદા નદીનાં કિનારે આવેલ અનેક ગામોનાં લોકો પીવાનાં શુદ્ધ પાણીથી વંચિત છે અને દરિયાનું ખારું પાણી અનેક વિસ્તારમાં ફેલાઈ જતાં ભૂગર્ભ જળ ક્ષાર યુકત બન્યા ત્યારે આ યોજનાથી લોકોને મીઠું પાણી મળશે.

Advertisement

Share

Related posts

આતુરતાનો અંત આવ્યો,થોડો નજીક આવીને અનહદ આનંદ મળ્યો તને પળભર નિહાળીને…

ProudOfGujarat

ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શાહીબાગમાં થયેલી અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!