Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકાનાં બબુંસર ખાતે આવેલ સૂફી સંતની દરગાહનો જીર્ણોધ્ધાર કરાયો…

Share

ભરૂચ તાલુકાના બંબુસર ખાતે ગામના કબ્રસ્તાનમાં હઝરત અબ્દુરરેહમાન શાહ અને આલમશાહ બાવાની સાયકાઓ જૂની દરગાહ આવેલી છે. જેનું બાંધકામ સદીઓ પુરાણું હતું જે સમય જતાં જર્જરિત હાલતમાં થવા જઈ રહ્યું હતું.

આના લીધે ગામની દરગાહ અને મસ્જિદ કમિટીએ આ દરગાહનો જીર્ણોધ્ધાર કરવાનું નક્કી કર્યું હતું. આના માટે નાણાકીય ભંડોર બબુંસરના ગ્રામજનો, યુ.કે અને દ.આફ્રિકા ખાતે વસતા બબુંસરના વતનીઓએ એકત્ર કર્યો હતો. આ દરગાહનું જીર્ણોદ્ધારનું કાર્ય સંપન્ન થતા આજરોજ તા. 8.1.2021 ને શુક્રવારના રોજ પ્રજા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ વાળા બાવા સાહેબ, બબુંસર જુમ્મા મસ્જિદના પેસઇમામ, મસ્જિદના મુતવલ્લી હાફઝ ફરીદ અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહયા હતા. આ પ્રસંગે કુરાન ખાનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ : નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ૨.૦ હાથ ધરાયુ.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ તાલુકામાં વીમા એજન્ટે ક્લાઈન્ટ સાથે છેતરપિંડી કરી પાકેલી રકમ ૧૦.૯૦ લાખ ઉપાડી લીધા

ProudOfGujarat

અંક્લેશ્વરની હરિક્રુપા સોસાયટીમા રોડ અઠી ફુટ ઊંચો બનાવી દીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!