Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાના યથાવત, ૨ દિવસમાં જ ૫૦ થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમસંસ્કાર થયા.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં સ્થિતી વધુ વિકટ બની છે, છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંકડો દિવસ દરમિયાન ૨૦ ને પાર પહોંચી રહ્યો છે, ગઇ કાલે સવારથી રાત્રી સુધી ૨૫ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા, છેલ્લા બે દિવસમાં જ ૫૦ થી વધુ મૃતદેહના અંતિમક્રિયા કોવિડ સ્મશાનમાં કરવામાં આવી છે, કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી ૭૫૦ થી વધુ લોકોને કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં વિકટ બનતી સ્થિતિ સામે હવે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે, યુવા વયથી લઇ ૫૦ વર્ષ થી વધુ ઉંમરના વ્યક્તિઓના ટપો ટપ મોતથી હાહાકાર મચ્યો છે તો બીજી તરફ કોરોનાનાં પોઝીટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા પો.સ્ટે.ના ગુનાના કામના નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડાનાં કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ટાઉન સહિત પંથકમાં કોરોના બેફામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!