Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્પેશિયલ કોવિડ સ્મશાનથી ભરૂચિઓ માટે રાહતનાં સમાચાર, છેલ્લા ત્રણ દિવસથી સ્મશાનમાં મૃતદેહની સંખ્યામાં 50% નો ઘટાડો…

Share

ભરૂચ જિલ્લામાં કોરોના ની બીજી લહેર ઘાતક સાબીત થઇ હતી, વધતા કેસો સામે સ્મશાનમાં મોતનો તાંડવ જોવા મળ્યો હતો, જ્યાં મૃતકોને અગ્નિદાહ આપવા માટે એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળતી હતી, છેલ્લા ૧૦ દિવસમાં સ્મશાનમાં આંકડો ૫૦ મૃતદેહને પાર જતો હતો તે વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

ગત ત્રણ દિવસોમાં મૃતકોની સંખ્યામાં ૫૦% જેટલો ઘટાડો નોંધાતા સ્મશાનનાં સ્વંયમ સેવકો સહિત લોકોએ પણ હવે રાહતનો શ્વાસ લીધો છે, વહેલી સવારથી જ્યાં ૧૫ થી ૨૦ જેટલા મૃતદેહની કતારો જામતી હતી ત્યા હવે સંખ્યા ઘટીને માત્ર ૫પર આંકડો આવતા જિલ્લાના લોકો માટે કોરોના મહામારી વચ્ચે રાહત સમાન સમાચાર કહી શકાય તેમ છે.

Advertisement

હાલ સ્મશાનમાં મૃતકોનો આંકડો ઓછો થયો છે પરંતુ રોજના દમ તોડતા દર્દીઓને અંતિમક્રિયા માટે તો લાવવામાં આવી જ રહ્યા છે, ત્યારે આ આંકડો પણ ધીમેધીમે ઘટી જાય અને ભરૂચ જિલ્લાને મોતના તાંડવ વચ્ચેથી મુક્તિ મળે તેવી પ્રાર્થનાઓ અને દુઆઓ લોકો કરી રહ્યા છે.


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર સુરતથી ભાવનગર જતી લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચમાં ક્ષમતા કરતાં વધુ બાળકોથી ભરેલી રીક્ષાઓને કારણે અકસ્માતને ઈજન

ProudOfGujarat

1 જુલાઈથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે 9 સુધી ખુલ્લા રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!