Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ: વેલ્સપન કંપનીએ 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમના આદેશ કરતા કર્મીઓમાં ફફડાટ

Share

કોરોના કહેરમાં એક તરફ લોકોની જિંદગી ડામાડોળ થઈ છે તેવા સમયમાં ભરૂચના વડદલા ખાતે આવેલી વેલ્સપન કંપનીએ સાગમટે અંદાઝે 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમનો આદેશ કરતા કર્મચારીઓના માથે કમ્પની બંધ થવાની દહેશતથી ચિંતાના વાદળો ઘેરાયા છે. કંપની કર્મચારીઓએ આજરોજ જોલવા ખાતે મિટિંગ કરી સ્થાનિક આગેવાનો ને તેમની મદદે આવવા હાકલ કરી હતી.

કોરોના કહેરના કારણે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર થઈ છે. જેમાં ઉદ્યોગોને પણ વેઠવાનો વારો આવ્યો છે. ઘણી કમ્પનીઓ કામદારોની છટણી કરવા ઉપરાંત ઉત્પાદન ઘટાડી આર્થિક કટોકટી સામે ઝઝૂમવાના પ્રયાસ કર્યા છે. તો કેટલાય ઉદ્યોગો બંધ કરવાની નોબત આવી છે. જેની સીધી અસર કર્મચારીઓના જીવન ધોરણ પર પણ ઉભી થઇ છે.

Advertisement

વાગરાના વડદલા ખાતે આવેલી વેલ્સપન કમ્પનીએ તેના 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમનો આદેશ કરતા કર્મચારીઓમાં બેરોજગારીનો ભય ઉભો થયો છે. વડદલા સ્થિત વેલ્સપન કમ્પની ઓઈલ, પાણી અને ગેસ વહન માટેની સ્ટીલ પાઇપ બનાવે છે. કંપની બંધ થાય તો આપણું શુ તેવી દહેશત વચ્ચે આજરોજ કંપની કર્મચારીઓએ જોલવા ખાતે મિટિંગ કરી હતી. જેમાં કંપની આગામી દિવસોમાં તેમના પગાર ન કરે અથવા બીજા રાજ્યોમાં બદલી કરી દે તેવો ભય વ્યક્ત કરી કર્મચારીઓએ સ્થાનિક આગેવાનોને તેમની પડખે ઉભા રહેવા અપીલ કરી હતી.

વેલ્સપન કંપનીના પી.આર.ઓ. પરિમલસિંહ રણાએ 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમ ના આદેશો અપાયા હોવાનું જણાવી કંપની ચાલવા સામે શંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓ સાથે કમ્પની મેનેજમેન્ટની વાટાઘાટો કરાવી યોગ્ય નિર્ણય લઈશું.


Share

Related posts

પાલેજ બરોડા બેંકનું એન્ટ્રી મશીન તેમજ એ.ટી.એમ મશીન લાંબા સમયથી બંધ રહેતા મુશ્કેલી સર્જાવા પામી છે.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નગરમાં ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે વન અધિકારીની દાદાગીરી સામે મનસુખ વસાવાનો વિરોધ.

ProudOfGujarat

અમદાવાદ-બાપુનગર સોનરિયા બ્લોકની છત ધરાશાયી-૨ લોકોને સામાન્ય ઈજાઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!