Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ દાંડિયા બજાર દશાશ્વમેઘ ઓવરે પાણીમાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં આત્મહત્યા કરવાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, છેલ્લા એક મહિનાની જ વાતો કરીએ તો આ ત્રીજોથી ચોથો કિસ્સો સામે આવ્યો છે. આજરોજ પણ દાંડિયા બજાર ખાતે આવેલ દશાશ્વમેઘના આવરે પાણીમાથી રહસ્યમય લાશ પાણીમાં તરી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

આજરોજ બપોરના સમય દરમિયાન અચાનક ભરૂચ દાંડિયા બજાર ખાતે આવેલ દશાશ્વમેઘના ઓવરે કઈક તરી આવતા આસપાસના રહેવાસીઓ દ્વારા જોતાં એક પુરુષની લાશ પાણીમાં તરી રહી હતી જેથી આસપાસના સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને નદીમાંથી બહાર કાઢી લાશને કિનારે લઈ આવ્યા હતા, જેમાં પુરુષનો મૃતદેહ ગંભીર હાલતમાં જોવા મળ્યો હતો જેથી આસપાસના રહેવાસીઓમાં ભાઇનો માહોલ સર્જાયો હતો.

Advertisement

લાશ કોની છે, કયા કારણોસર આ લાશ પાણીમાથી મળી આવી, આ આત્મહત્યા છે કે મર્ડર જેવા અનેક સવાલો લોક ચર્ચાઇ રહ્યા હતા જેને કારણે સ્થાનિકોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી અને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવીને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી અને મૃતદેહ અર્થે વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ : સંતોષી યુવક મંડળ દ્વારા અયોધ્યા નગર વિસ્તારનાં સ્થાનિકોને માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રહેમત નગર સોસાયટીમાં વરસાદી પાણી ના ભરાવા ના કારણે લોકો ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે…તેમજ સોસાયટીની ચારે તરફ જળ બંબાકાળ ની સ્થિતિ સર્જાતા લોકો મુંજવણ માં મુકાયા છે….

ProudOfGujarat

ભરૂચ : મરિયમનબેન મેમોરિયલ હાઈસ્કૂલ – ઈખરમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!