Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં પાંચ દિવસથી વરસાદ નહીં : જીલ્લાવાસીઓ ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ.

Share

ભરૂચ જીલ્લામાં અષાઢી બીજ રથયાત્રાના દિવસે મેઘરાજાએ આગમન કર્યા બાદ જાણે અદ્રશ્ય જ થઇ ગયા છે જેના કારણે પંથકમાં અસહ્ય ઉકળાટ અને બાફની અનુભૂતિ થઇ રહી છે. ભરૂચ જિલ્લાવાસીઓ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

મેઘરાજા રથયાત્રાના દિવસે સાંજે મન મુકીને વરસ્યા હતા ત્યારબાદ અદ્રશ્ય જ થઇ ગયા છે. આકાશમાં વાદળો તો બંધાય છે પરંતુ વરસતા નથી અને તેના કારણે જિલ્લાવાસીઓ અસહ્ય બાફની અનુભૂતિ કરી રહ્યા છે. જુલાઈ મહિનો તેના મધ્યાંતરે પહોચ્યો છે પરંતુ હજુ જીલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી.

Advertisement

હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી પરંતુ મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેમ વરસી નથી રહ્યા. જિલ્લાવાસીઓ વરસાદ વરસે અને બફારામાંથી મુક્તિ મળે તેવી આશા રાખી રહ્યા છે.


Share

Related posts

મહેમદાવાદનાં કનીજ ગામે શખ્સનાં ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા પીતાં મોત નીપજયું

ProudOfGujarat

માંગરોળ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એસ.આર.પી.કેમ્પ વાવ દ્વારા સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ બાબતે લોક જન જાગૃતિ રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના ટંકારી રોડ ઉપર આવેલ સોસાયટીના અગ્રણીઓએ મીઠાના અગરમાંથી મીઠુ ઓવરલોડ ભરીને વહન કરતી ટ્રકોને રોકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!