Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજમાં કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનોને મળવાપપત્ર સહાયના ફોર્મ ભરાવવામાં આવ્યા.

Share

આજરોજ પાલેજ જિલ્લા પંચાયત વિસ્તારના ટંકારીઆ
ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિનાં સ્વજનોને મહામારી કાયદા હેઠળ મળવા પાત્ર રૂપિયા ૪ લાખની સરકારી સહાય આપવામાં સુપ્રીમકોર્ટનાં આદેશ હોવા છતાં સહાય આપવામાં ભાજપ સરકાર નાદારી જાહેર કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા “કોવિડ ૧૯ ન્યાયયાત્રા” અંતર્ગત કોરોના મહામારીમાં મૃતકનાં પરિવારોને ૪ લાખની સહાય તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયેલ ખર્ચ આપવાની માંગ સાથે અસરગ્રસ્ત પરિવારોને સહાય માટેના ફોર્મ ભરાવવામા આવ્યા.

કોવિડ19 ન્યાયયાત્રા અંતર્ગત સરકાર સમક્ષ મુખ્ય 4 માંગણીઓ.

● કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતક માટે રૂ.૪ લાખનું વળતર.
●કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બીલમાં રકમની ચુકવણી.
●સરકારી તંત્રીની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ
●કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/ પરિવારજનો પૈકી કાયમી નોકરી

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના ત્રણ લોકોના મોત

ProudOfGujarat

ભરૂચના મુખ્ય માર્ગ પર અચાનક ધરતી ધસી! જૂની મામલતદાર કચેરી સામે પડ્યો ભુવો

ProudOfGujarat

ભરૂચમાં પિસ્તલ-14 જીવતા કારતૂસ સાથે બુટલેગર ઝબ્બે : મુખ્ય સુત્રધાર વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!