Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના યુવકે મોતની છલાંગ લગાવી.

Share

ભરૂચ ખાતે નર્મદા નદી પર આવેલ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્યો હોય તેમ એક બાદ એક અનેક ઘટનાઓ બ્રિજ પર બની રહી છે, જ્યાં જીવનથી કંટાળી લોકો મોતની છલાંગ લગાવતા હોવાના કિસ્સાઓમાં વધારો થયો છે. આજ પ્રકારની એક ઘટના ગત રાત્રીના સમયે સામે આવી હતી, જ્યાં એક સુરતના યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી.

સુરતના વેલન્ઝા ગામ ખાતેના શિવ બંગલો વિસ્તારમાં રહેતા અલ્પેશ ગાંડા ભાઈ કથરોટિયા ઉ.વ ૪૦ નાઓ પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ તેઓને માથે દેવું વધી જતાં તેઓએ કંટાળી જઈ ભરૂચ ખાતે આવી પહોંચી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. જોકે નર્મદા મૈયા બ્રિજથી ૧ કિલોમીટર સુધી પાણીમાં તેઓ તણાયા હતા અને અંકલેશ્વરના ખાલપીયા નજીક બુલેટ ટ્રેન પ્રોજેકટની ચાલતી કામગીરીના પીલ્લરો પકડી લીધા બાદ બચાવ બચાવની બૂમરાણ કરી હતી.

Advertisement

અલ્પેશ ભાઈને ડૂબતા જોઈ ત્યાં ઉપસ્થિત કામદારો એ તાત્કાલિક તેઓને પાણમાંથી સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા અને તેઓનો જીવ બચાવ્યો હતો સાથે જ ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ અને સામાજીક કાર્યકર્તા ધર્મશ સોલંકીને કરતા તેઓએ યુવક પાસે જઇ સમજાવી તેઓને સલામત રીતે પોતાના ઘરે મોકલ્યા હતા.

હારૂન પટેલ : ભરૂચ
મો. : 9925222744


Share

Related posts

ભરૂચ -પોલીસ એથેલેટિક્સ મીટ 2023 નું શુભારંભ એસ. પી ડો. લીના પાટીલ દ્વારા કરાયુ

ProudOfGujarat

માંડલ તાલુકાના જાલીસણા ગામમાં આર્ટએમ હેલ્થ સ્માર્ટ કલીનીકનો શુભારંભ કરાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન દ્વારા ૯ ગોબર ધનપ્લાટના ઇન્સ્ટોલેશનની કામગીરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!