Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ દહેજ રેલવે લાઈન ઉપર આવેલ દયાદરા સ્થિત ફાટક નંબર 11 બે દિવસ બંધ રહેશે, વૈકલ્પિક ફાટકનો ઉપયોગ કરવા રેલવે દ્વારા જાહેર નોટિસ અપાઈ.

Share

ભરૂચથી દહેજ જતી પશ્ચિમ રેલવે લાઈન ઉપર દયાદરા ગામ ઉપર રેલવે ક્રોસિંગ માટે ફાટક આવેલી છે. આ ફાટક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 નબીપુરથી ભરૂચ જંબુસર રાજ્ય ધોરીમાર્ગને જોડતા માર્ગ ઉપર દયાદરા તરફના છેડે આવેલ છે. જે માર્ગ પરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર વાહનોની અવર જવર થાય છે.

આ ફાટકનું સમારકામ કરવાનું હોવાથી રેલવે તંત્ર દ્વારા ફાટક તારીખ 17.07.2023 ને સવારે 09.00 કલાક થી તારીખ 18.07.2023 ને સાંજના 18.00 કલાક સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવશે. તો આ રસ્તાના વૈકલ્પિક ઉપયોગ માટે ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રેલવે ફાટક નંબર 05 નો ઉપયોગ કરી શકાશે. આ અંગે રેલવે તંત્ર દ્વારા દયાદરા ફાટક ઉપર જાહેર જનતા માટે જાહેર નોટિસ પણ મૂકવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓને અગ્રતાના ધોરણે રિપેર કરાયા

ProudOfGujarat

સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, ઇમરજન્સી નંબર કર્યો જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!