Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરાયું

Share

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સંજયભાઈ ભગતના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાશે.

ભરૂચમાં 9 ઓગષ્ટ એ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિ દ્વારા તેમજ બામસેફ ઇન્સાફ બી.એમ.જી ના સંયુક્ત ઉપક્રમે ડો. આંબેડકર ભવન કલેક્ટર કચેરીની પાછળ સવારે 10:30 કલાકે યોજાશે. હવે અસ્તિત્વનો સવાલ છે! જેવા શીર્ષક સાથે બામસેફના પ્રમુખ વિનયભાઈ સોલંકી, જીવરાજભાઈ મકવાણા, વિજયભાઈ વસાવા, સામાજિક કાર્યકર સંજયભાઈ ભગતના અધ્યક્ષ સ્થાને ઉત્તરપ્રદેશ તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વિવિધ મોરચાના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી આદિવાસી સમાજને આગળ લઈ જવા માટે મહત્વના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમમાં ભરૂચ તથા આસપાસમાં વસવાટ કરતા આદિવાસી ભાઈ બહેનોને ઉપસ્થિત રહેવા આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચની કવિન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થીનિઓએ ગૌરીવ્રત નિમિત્તે હાથ પર મૂકેલ મહેંદી બાબતે વિવાદ થયો હતો-સ્કૂલ દ્વારા મહેંદીનો રંગ જાય પછી સ્કૂલે આવવાનું ફરમાન જારી કરતા ખળભળાટ વ્યાપી ગયો હતો-સ્કૂલ ના આ પ્રકારના ફરમાન મુદ્દે સ્કૂલ ખાતે હિન્દૂ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : વિજયાદશમી નિમિત્તે જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!