Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

*ટ્રાફિક સમસ્યા બાબતે ભરૂચના ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ માર્ગનું સર્વે કરવામાં આવ્યુ*

Share

*ભરૂચ ની એબીસી ચોકડી થી શ્રવણ ચોકડી, બાયપાસ રોડ પર થતા ભારે ટ્રાફિક જામ ને કારણે શહેરના ના માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યુ*

*ટ્રાફિક સમસ્યા બાબતે ભરૂચના ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ માર્ગનું સર્વે કરવામાં આવ્યુ*

Advertisement

ભરૂચ શ્રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિકજામ ના કારણે અનેક વાહનો નગર ના ઇન્ટરનલ માર્ગો ઉપર વાહનો નું ભારણ વધવા પામ્યુ છે. જેને પગલે ભરૂચના ફાટાતળાવ ઢાલ થી લઇ મદીના હોટલ, મહંમદપુરા, બંબાખાના વિસ્તારમાં રોજેરોજ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થવા પામી છે. તેમજ ટ્રાફિકમાં હેરાન થતા લોકોની ફરિયાદ પણ ઉઠી છે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા પણ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી સૂચનો આપવામાં આવ્યા હતા.

ટ્રાફિક સમસ્યા બાબતની રજુઆતને ધ્યાનમાં લઇ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી હરીશભાઈ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, સભ્યો સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઈબ્રાહીમભાઈ કલકલ ને સાથે રાખી ઢાલ થી લઇ મોહમ્મદ પુરા સુધીના ત્રણ નાળા વચ્ચેના માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. અને જે માર્ગ સાંકડો છે તેને પહોળો કરવા તેમજ રોડ પર અડચર રૂપ જીઈબી ના પોલ ને શિફ્ટ કરી ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ મળે તે માટે તાત્કાલિક અસર થી કામગીરી કરવામાં આવશે.


Share

Related posts

પંચમહાલ : ગોધરા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ : કંટવાવ ગામના નવનિર્મિત ભગવાન કરુણાસાગર મંદિરે ત્રિદિવસીય પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

ઉમરપાડાનાં રાણીકુંડ ગામમાં ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનારા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!