Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાની સસ્તા અનાજ ની દુકાનમાં ગેરરીતિ?…જાણો વધુ

Share

પંચમહાલ જિલ્લામાં આવેલ કાલોલ ઘોઘંબા અને હાલોલ તાલુકામાં આવેલ 18 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા તથા તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કાલોલ તાલુકામાં આવેલ સરકાર માન્ય પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર વેજલપુર ગામની દુકાનમાંથી બે કટ્ટા અનાજની વધ આવતા સરકાર સસ્તા અનાજના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને તેમની ટીમ ગઇકાલે પંચમહાલ જિલ્લા આવેલ કાલોલ, ઘોઘંબાના હાલોલ તાલુકામાં આકસ્મિક ચેકીગ હાથ ધરવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકામાં સમાવેશ થતી 1.વેજલપુર મંડળી 2. ખરસાલીયા 3. કરાડા 4. ખંડેવાળ 5. બેઢિયા-1 6. બેઢિયા -2 7. બેઢીયા-3 8 . દેલોલ -1 9. દેલોલ-2 10. દેલોલ-3 11. દેલોલ -4 તથા ઘોઘંબા તાલુકાની 1. દોલતપૂરા 2. ચંદ્રનગર 3. કણબી પાલ્લા ઘોઘંબા 4. રણજીતનગર -1 5. રણજીતનગર -2 તથા હાલોલ તાલુકાની 1. ઢિકવા-2 2.કંટેલી ગામની આમ પંચમહાલ જિલ્લા આવેલા ત્રણેય તાલુકાની કુલ મળી 18 જેટલી સરકાર માન્ય વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં હાથ ધરવામાં આવી હતી.

Advertisement

જેમાં કાલોલ તાલુકાની સરકાર માન્ય પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર વેજલપુર ગામની FPSમાં ,ચોખા 63 kg 1 કટ્ટા વધ તથા બાજરી 41 kg 1 કટ્ટાની વધ તથા તુવેરદાળ 16 kg ની ધટ આમ કુલ મળી 02 કટ્ટાની વધ મળી આવી હતી જેની બજાર કિંમત રૂપિયા ₹ 5500 રૂપિયા થાય છે. આમ સરકારી સસ્તા અનાજની વાજબી ભાવના દુકાનદાર સામે વધ પડેલ જથ્થા અંતર્ગત કુલ રૂ. 5500 રૂપિયા જથ્થો સીઝ કરી કાલોલ તાલુકાના સરકાર માન્ય પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર વેજલપુર ગામના સંચાલક સામે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

ભરૂચ : લોકડાઉન દરમિયાન નર્મદાનાં નીર પ્રદુષણથી મુક્ત બન્યા.

ProudOfGujarat

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપીઓના વકીલોએ કોર્ટમાં વકીલાત પત્ર દાખલ કર્યું, આગામી સુનાવણી આ તારીખે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!