Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ દીવાન ને કસ્ટડી માં પોલીસ દ્વારા ઢોર માર મરાયો નો પરિવાર નો આક્ષેપ, બુટલેગર સારવાર હેઠળ

Share

ભરૂચ ના બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ દીવાન ને કસ્ટડી માં પોલીસ દ્વારા ઢોર માર મરાયો નો પરિવાર નો આક્ષેપ, બુટલેગર સારવાર હેઠળ

દેશ ભર માં લોકસભા ચૂંટણી 2024 નો માહોલ જામ્યો છૅ, ચૂંટણી ની તારીખો જાહેર થયા બાદ થી જ આદર્શ આચારસંહિતાઃ લાગુ થઈ છૅ, તેવામાં ઉચ્ચ પોલીસ વિભાગ ના અધિકારી ઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાઓ બાદ થી અનેક આરોપીઓને પોલીસ ઝડપી રહી છૅ,

Advertisement

બે દિવસ અગાઉ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા બુટલેગર નવાબ ઉર્ફે નબ્બો ઇમરાન શાહ દીવાન જે એ ડિવિઝન પોલીસ મથક ના ગુન્હા માં નાસતો ફરતો હોય તેને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો,

નવાબ ઉર્ફે નબ્બુ ને પકડી બી ડીવીઝન પોલીસ મથકે કસ્ટડી માં આવ્યા હતો , પરિવાર જનોએ આક્ષેપ કર્યા હતા કે નવાબ ઉર્ફે નબ્બુ દીવાન ને કસ્ટડી દરમ્યાન પોલીસે શરીર ના ભાગે ખુબ માર માર્યો હતો,

જે બાદ ઘટના બાદ નવાબ ને કોર્ટ માં રજૂ કરવામાં આવતા તેઓના પરિવાર જનોએ પોલીસ દ્વારા માર મારવા અંગેની જાણકારી કોર્ટ સમક્ષ આપી હતી, કોર્ટ દ્વારા ઘટનાની ગંભીરતા ને સમજી નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશાહ દીવાન ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કસ્ટડી હેઠળ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો,

ઘટનાના પગલે નવાબ ઉર્ફે નબ્બુ ના પત્ની ધર્મ પત્નીએ પોલીસ ની કામગીરી ની ટીકા કરી હતી અને તેઓના પતિ ને મારવામાં આવેલ માર અંગેની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો,સાથે જણાવ્યું હતું કે પોલીસ રિમાન્ડ માત્ર પૂછ પરછ માટે ના હોય છૅ, તેમ છતાં તેઓના પતિ ને રિમાન્ડ વગર કસ્ટડી માં આટલો માર મારવામાં આવ્યો છૅ, અમારે બે સંતાનો છૅ, જો મારા પતિ ને ન કરે ને કશું થઈ ગયું હોત તો અમે શું કરતા તેવી વેદના વ્યક્ત કરી હતી,


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા તાલુકામાં દીપડાના આતંકથી અનેક ગામોનાં લોકો ભયભીત છે જેમાં થોડા દિવસો પહેલા વાસણા ગામમાં દીપડો દેખાતા વનવિભાગને જાણ કરતાં વનવિભાગે પાજરું મૂકી દીપડો ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

ProudOfGujarat

ઝઘડિયાના રતનપોર ગામ નજીક ખાણ ખનિજ વિભાગ ફ્લાઇંગ સ્કોડની ગાડીને અકસ્માત નડ્યો.

ProudOfGujarat

શુક્લતીર્થ ખાતે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ૧૫૬ જેટલા પશુઓનું રસીકરણ કરી કૃમિનાશક દવા અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!