Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ફરી મોત ને વહાલું કરવા જતી મહિલા ને જાગૃત રાહદારીઓએ જીવ બચાવી લીધો હતો.

Share

નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતા હોવાને કારણે આત્મહત્યાના પ્રયાસો અટકતા નથી.

સેમ્પલ ની જાળી લાગ્યા બાદ હવે કાયમી જાળી ક્યારે લાગે તેવા સવાલ ઉઠ્યા હતા.

Advertisement

ભરૂચના પ્રખ્યાત નર્મદા મૈયા બ્રિજ પર આજે ફરી એક વાર જીવન ટૂંકાવવાનો પ્રયાસ થયો હોવાનું વધુ એક બનાવ સામે આવ્યો હતો જો કે જાગૃત રાહદારીઓ અને રીક્ષા ચાલકની સતર્કતા એ એક પરિણીતા મહિલાનો જીવ બચાવી લીધો હતો. એક મહિલા બ્રિજ સાઈડ રૅલીગ પર ચઢીને પરથી ઝંપલાવી જ રહી હતી, એટલામાં ત્યાં હાજર રહેલા રાહદારીઓ અને રીક્ષા ચાલકે તાત્કાલિક દોડ લગાવી તેને કાબૂમાં લીધી અને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા બાદમાં પોલીસને જાણ કરી મહિલાઓને તેમના હવાલે સોંપવામાં આવી હતી. તંત્ર દ્વારા બ્રિજ પર સેફ્ટી એંગલ લગાવવાની મંજૂરી મળી ગઈ છે અને હાલ તેનું સેમ્પલ કામ પણ શરૂ થઈ ગયું છે. તેમ છતાં, નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતા હોવાને કારણે હજુ પણ આત્મહત્યાના પ્રયાસો અટકતા નથી. સ્થાનિક લોકો દ્વારા તંત્ર ઝડપથી સેફ્ટી વોલનું કામ પૂર્ણ કરે અને સુરક્ષાના કડક પગલાં લે તેવી માંગ કરી હતી


Share

Related posts

કોરોના મહામારીમાંથી મુક્તિ મેળવવા હજુ ભરૂચીઓએ ગ્રીન જોનમાં આવવાં 21 દિવસની રાહ જોવી પડશે..!!જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા

ProudOfGujarat

ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે વુમન એમપાવરમેન્ટ એન્ડ ટ્રાફિક રૂલ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!