Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સારોદ ગામે પીઆઈ કંપનીનો નિર્ણય, છૂટા કરાયેલા 100 જેટલા કામદારોને તબક્કાવાર ફરી નોકરી પર રાખાશે.

Share

જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલી પીઆઈ કંપનીમાં 14મી તારીખે છૂટા કરાયેલા અંદાજે 100 જેટલા કામદારો માટે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની તરફથી ખાતરી આપવામાં આવી છે કે તમામ કામદારોને તબક્કાવાર ફરીથી નોકરી પર લેવામાં આવશે. સારોદ ગામના સરપંચ ઈસ્માઈલ અહેમદ પટેલ (ઈશાલ)એ જણાવ્યું કે, અમે કંપનીના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. કંપનીએ ખાતરી આપી છે કે તમામ છૂટા કરાયેલા કામદારોને પરત લેવામાં આવશે. જોકે આ પ્રક્રિયા એકસાથે નહીં પરંતુ તબક્કાવાર હાથ ધરાશે. આવતા બુધવાર સુધીમાં તમામ કામદારોને લઈ લેવામાં આવશે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.આ નિર્ણય બાદ કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સાથે જ કંપનીમાં ફરીથી શાંતિપૂર્ણ રીતે કામકાજ શરૂ થવાથી કંપની–કામદારો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે…

:- યાકુબ પટેલ..પાલેજ…

Advertisement

Share

Related posts

સામુહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

ગુજરાતીઓ પર હુમલા અને લૂંટફાટ : સાઉથ આફ્રિકામાં મોબાઈલની શોપમાં ઘુસી ગયેલા નિગ્રો લૂંટારુઓએ ચલાવી લૂંટ.

ProudOfGujarat

નડિયાદ પોદાર ઇન્ટેરનેશનલ સ્કૂલ દ્વારા ત્રણ દિવસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!