Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુંબઈથી અમદાવાદ જતા પરિવારની કારને અકસ્માત; સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત

Share

અમદાવાદના નરેશ સુથાર અને તેમના પિતરાઈ સાગર 27 નવેમ્બરે મુંબઈથી સગર્ભા કાકી અને બે બાળકોને લેવા ગયા હતા. વાહન લઈને તેઓ અમદાવાદ પાછા ફરી રહ્યાં હતા ત્યારે શુક્રવારે વહેલી સવારે દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ નજીક દયાદરા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા.
અચાનક કારનું આગળનું ટાયર ફાટતાં સાગર વાહન પરનો કાબુ ગુમાવી બેઠો હતો. કાર રોડની બાજુની ઈમરજન્સી પાર્કિંગ લાઈનમાં ઉભેલા કન્ટેનરમાં જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં કાકી પિંકીબેન જયંતિભાઈ સુથાર (ઉંમર 34) તથા તેમના બાળકો 9 વર્ષના કુલદીપ અને 6 વર્ષની ઈનાયાને ઈજા પહોંચી હતી, તેમજ કારમાં બેઠેલા યુવાનો પણ ઘાયલ થયા હતા.
નવ મહિનાની સગર્ભા પિંકીબેનને ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાયા બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
અકસ્માત મામલે ભરૂચ રૂરલ પોલીસે કારચાલક પિતરાઈ સાગર સામે ગુનો દાખલ કર્યો છે.

Share

Related posts

ભરૂચ-નાંદેરા ગામ ખાતે તસ્કરોનો તરખાટ,એક સાથે બે મકાનોને બનાવ્યા નિશાન,૬ લાખ ઉપરાંતની મત્તાપર હાથફેરો…

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરમાંથી વધુ એક બોગસ તબીબ મેડિકલની કોઈ પણ ડિગ્રી વગર લોકોને આપતો હતો દવા : પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ : બુટલેગરો બાદ હવે ભંગારના ગોડાઉનો પર એસ.પી, ડો.લીના પાટીલનો સપાટો, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!