Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 4 હજાર જેલાં લોકોએ નવા વર્ષના પહેલાં દિવસે સુર્યનમસ્કાર કરી નવી ઉર્જાનું સંચાર કર્યું

Share

ભરૂચ
દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના માર્ગદર્શન થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલ જીના નેતૃત્વ હેઠળ આજ રોજ ૧ જાન્યુઆરી ૨૦૨૬ નવા વર્ષ ના પ્રથમ દિવસે સૂર્યની પહેલી કિરણ સાથે દેશના એક લાખથી વધુ લોકોએ એક સાથે ભેગા થઈ સૂર્ય નમસ્કાર કરી તેમજ ધ્યાન કરી નવી ઊર્જાનું સંચાર ધ્વારા આજના દિવસથી યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવા રાખવાનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમ ભરૂચ ખાતે જિલ્લા કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિ જીએનએફસી કોમ્પ્લેક્સ માં આશરે ૪૦૦થી વધુ તેમજ વડદલા ગામ ખાતે ૨૦૦ થી વધુ ભાઈઓ ,બહેનો , વડીલો અને બાળકોએ ભેગા થઈને આ કાર્યક્રમ સફળતાપૂર્વક જે તે સ્થળ પર પૂર્ણ કર્યો હતો તેમ જ 3000 થી વધારે લોકો ઓનલાઈન યૂટ્યુબ ના માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમના ભાગ બન્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઉર્જાનો સંચાર થાય અને દેશનું દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે એ માટેનો હતો ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સર્વ યોગ સાધકો ,ટ્રેનરો,કોચ, કોર્ડીનેટર,યોગ એક્સપર્ટ તેમજ શહેરના દરેક નાગરિકના સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

શુભ વેડિંગ અને લાઇફ સ્ટાઈલ એવોર્ડ – ૨૦૨૧ ની સીઝન ૪ માટે વડોદરાના મન લિંબચિયાની કરાઇ પસંદગી.

ProudOfGujarat

નબીપુર ખાતે સરકારી અંગ્રેજી માધ્યમની શાળા ચાલુ કરવા AIMIM ના વાગરા વિધાનસભા યુવા પ્રમુખ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

અામોદના કોઠી – વાતરસા ગામમાં ખેડૂત સંમેલન યોજાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!