Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડભોઇ રેલ્વેમાં કરોડોનાં કેબલ બળીને ખાખ : સલામતીની ચુક.

Share

ડભોઈ ખાતે હાલ ડભોઇ કરનાળી બ્રોડગેજનું કામ પુર જોરશોરમાં ચાલી રહયું છે પણ લોક ડાઉનને લઈ કામ હાલ બંધ છે. જયારે રેલ્વેના સિગ્નલના વાયરના બંડલો રેલ્વે જુના લોકોશેડમાં મુકવામાં આવેલ હતાં જયાં આજે બપોરે અચાનક કેબલના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ડભોઈ ન.પા.નું ફાયર ફાઇટર વામણુ સાબિત થયું અને વડોદરા મહાનગર પાલિકાનું ફાયર ફાઇટર આવી પહોંચતા ચારેક કલાક બાદ આગ કાબુમાં આવી હતી ત્યાં સુધી સિગ્નલના ૩૧૦ બંડલ બળીને ખાખ થઈ ગયાં જયાં એકની અંદાજીત કિંમત ત્રણ લાખ થવા જાય છે. આમ રેલ્વેને દશ કરોડ નુકશાન થવાની શંકા સેવાઇ રહી છે. આગની જાણ થતાં ધટના સ્થળે નાયબ કલેકટર પારીખ, ડી.વાય.એસ.પી શ્રી સોલંકી, પી.આઇ.શ્રી વાધેલા રેલ્વેના પો.સ.ઇ સહિત લોક ટોળા ઉમટી પડયાં હતાં.

જાણવા મળ્યા મુજબ રેલ્વેની હદમાં કરોડોના કેબલ બળી ખાખ થઈ ગયા છે ત્યારે રેલ્વેની હદની સુરક્ષાની જવાબદારી આર.પી.એફ ની ભૂમિકાની તપાસની માંગ ઉઠવા પામી છે રેલ્વેના કરોડોના કેબલની નુકશાનીની ઝીણવટ ભરી તપાસ કરી આગના કારણો તપાસનો વિષય બનવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં મકાનમાંથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ઝડપાયો….

ProudOfGujarat

આછોદ મા દિવાલ ધરાશયી થતા બે બાળકો ના મોત.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ગામ નજીકના મહારાજા નગર સ્થિત શોપિંગની મોબાઈલ શોપને તસ્કરો નિશાન બનાવી એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!