Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બોરૂ રેલ્વે ફાટક પાસે મૃત હાલતમાં નદીસરના યુવાનની લાશ મળી આવતા શંકાકુશંકાઓ

Share

  1. બોરૂ રેલ્વે ફાટક પાસે મૃત હાલતમાં નદીસરના યુવાનની લાશ મળી આવતા શંકાકુશંકાઓ

ગોધરા, રાજુ સોલંકી

કાલોલ પાસે આવેલા બોરૂ રેલ્વે ફાટક પાસે ટ્રેક ઉપર મૃત હાલતમાં દલિત સમાજના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ખરેખર આ યુવાનનો અકસ્માત સર્જાયો છે કે હત્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશ ઉપર કબજો મેળવી કાલોલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે

Advertisement

મળતી વિગતો મુજબ ગોધરા તાલુકા ના નદીસર ગામે આવેલ વણકર વાસ ખાતે રહેતા કિરણભાઈ નટુભાઈ રાઠોડ ઉવ. ૨૧ ના બરોડા ખાતે એક કંપની માં પ્રાઈવેટ જોબ કરતા હતા.ત્યારે અચાનક બોરૂ રેલ્વે સ્ટેશન ના ફાટક પાસે એક ટ્રેક ઉપર મૃત હાલતમાં કિરણભાઈ નટુભાઈ રાઠોડ ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી રેલ્વે ટ્રેક ઉપર કઢગી હાલતમાં લાશ મળી આવતા લોકોમાં ભારે તર્ક વિતર્ક સર્જાયા છે,આ અકસ્માત સર્જાયો છે કે હત્યા??તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે. કાલોલ પોલીસ એ ઘટના સ્થળે પહોચી લાશનો કબજો મેળવી હોસ્પીટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ખેડામાં પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલી 6 વ્યક્તિઓની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

11 ઓગસ્ટ પછી રાજ્યમાં નહી મળે પેટ્રોલ ડીઝલ ,જાણો શું છે કારણ..?

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર આપ ના ઉમેદવાર ચૈતર વસાવા ના સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!