Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બોરૂ રેલ્વે ફાટક પાસે મૃત હાલતમાં નદીસરના યુવાનની લાશ મળી આવતા શંકાકુશંકાઓ

Share

  1. બોરૂ રેલ્વે ફાટક પાસે મૃત હાલતમાં નદીસરના યુવાનની લાશ મળી આવતા શંકાકુશંકાઓ

ગોધરા, રાજુ સોલંકી

કાલોલ પાસે આવેલા બોરૂ રેલ્વે ફાટક પાસે ટ્રેક ઉપર મૃત હાલતમાં દલિત સમાજના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ખરેખર આ યુવાનનો અકસ્માત સર્જાયો છે કે હત્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશ ઉપર કબજો મેળવી કાલોલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે

Advertisement

મળતી વિગતો મુજબ ગોધરા તાલુકા ના નદીસર ગામે આવેલ વણકર વાસ ખાતે રહેતા કિરણભાઈ નટુભાઈ રાઠોડ ઉવ. ૨૧ ના બરોડા ખાતે એક કંપની માં પ્રાઈવેટ જોબ કરતા હતા.ત્યારે અચાનક બોરૂ રેલ્વે સ્ટેશન ના ફાટક પાસે એક ટ્રેક ઉપર મૃત હાલતમાં કિરણભાઈ નટુભાઈ રાઠોડ ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી રેલ્વે ટ્રેક ઉપર કઢગી હાલતમાં લાશ મળી આવતા લોકોમાં ભારે તર્ક વિતર્ક સર્જાયા છે,આ અકસ્માત સર્જાયો છે કે હત્યા??તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે. કાલોલ પોલીસ એ ઘટના સ્થળે પહોચી લાશનો કબજો મેળવી હોસ્પીટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરના આમલખાડી ઓવરબ્રિજ ટ્રાફિક સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા સંદિપ માંગરોલા દ્વારા કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત*

ProudOfGujarat

Business Idea: આ બિઝનેસથી થઈ શકે છે લાખોની કમાણી, સાંજે ફક્ત 5 કલાક કરવું પડશે કામ

ProudOfGujarat

ડભોઈ રેલ્વે નવાપુરા આંગણવાડીમાં ડ્રાયફ્રુટનું વિતરણ કરાતા બાલીકાઓ ખુશ જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!