Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારમા વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા

Share


ગોધરા.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પડેલા ધોધમાર અને મુશળધાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સર્વત્ર જળ બંબાકારની સ્થતિ સર્જાઈ હતી.ખાસ કરીને શહેરના ખાડીફળીયા વિસ્તારમાં આવેલ આશાદીપ સોસાયટી,અમન સોસાયટી, ઈમામ અહેમદ રજા મસ્જિદ, ચીત્રા ખાડી ફળીયા,દિવાન ફળીયા વગેરે વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં એક ફુટ જેટલાં ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશોની ઘરવખરીનો જરૂરી સામાન અનાજ,ચોખા,દાળ વગેરે પલડી જવાના કારણે નુકશાનની સાથે સ્થાનિક રહીશોની હાલત અંત્યત દયાજનક અને કફોડી બનવા પામી હતી.ખાડીફળીયામાં આવેલ આશાદીપ સોસાયટી, અમન સોસાયટી,ઈમામ અહેમદ રજા મસ્જિદ,હુસેની મસ્જિદ મુખ્યમાર્ગ,દિવાન ફળીયા,ચીત્રા ખાડીફળીયા મા પાણીનો નિકાલ ન થવાને કારણે લોકો મૂશ્કેલીમા છે .સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને પાણી ભરાવાની સમસ્યા અંગે રજુઆત કરવા છતા આ પાણી નિકાલનુ નકકર પરિણામ પ્રાપ્ત થતુ નથી.એક તરફ જાણીતા સામાજીક કાર્યકર કૈલાશ કારીયા આ સમસ્યાના પ્રશ્નોને તંત્ર સુધી પહોચાડવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : તવરા રોડ પાછળ આવેલ આંબાવાડીનાં આંબાના ઝાડ પર લટકીને યુવકે જીવન ટુકાવ્યું ..!

ProudOfGujarat

પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. કંપનીમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચમાં હવે ગમ્મે ત્યાં કચરો નાંખવા પર ફટકારાશે દંડ, તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!