Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે નિરંકારી ભવનમાં નેત્ર ચકાસણી કેમ્પ યોજાયો.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર ચકાસણી કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો અને પોતાની આંખની તપાસણી કરાવી હતી.

સંત નિરંકારી મિશન હેઠળ વિવિધ સામાજીક સેવાના કાર્યો કરવામા આવે છે. જેમા કોરોના કાળમા રસીકરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિનો સમાવેશ થાય છે. ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલા સંત નિરંકારી ભવન ખાતે આંખોની તપાસ માટેનાં કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું જેમા નિષ્ણાંત આંખોના તબીબો દ્વારા આધુનિક મશીનની મદદથી આંખોની તપાસ કરવામા આવી હતી. આંખોમાં ખાસ કરીને મોતિયાના લક્ષણો ઢળતી ઉંમરે જોવા મળે છે. કાર્યક્રમમાં ગોધરા શહેર સહિત આસપાસના લોકોએ આંખોની તપાસ કરાવી હતી. વધુમા નિરંકારી સંસ્થાના આયોજકો હાજર રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચમાં સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી લકઝરી બસોને નો-એન્ટ્રી.

ProudOfGujarat

કાવલી ગામ ખાતેથી જુગાર ધામ પર ક્રાઇમ બ્રાંચ ના દરોડા, હજારો ના મુદ્દામાલ સાથે આઠ જેટલા ખૈલી ઝડપાયા

ProudOfGujarat

14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસ, જાણો શા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!