Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુન્દ્રા તાલુકામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી ગૌશાળાઓની અધિકારીઓએ લીધી મુલાકાત

Share

ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જે અન્વયે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળાઓને પશુદીઠ પ્રતિદિન રૂ.30 ની આર્થિક સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

મુન્દ્રા મામલતદાર વી.એ.પટેલના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા સર્કલ ઓફિસર હિતેશ રાજગોરએ મુંદ્રા તાલુકાની પત્રી, રતાડીયા, છસરા, અને ગુંદાલા ગામમાં આવેલી ગૌશાળા-પાંજરાપોળોની આકસ્મિક મુલાકાત લીધી હતી.

Advertisement

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મુંદ્રા તાલુકાની પાત્રતા ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોની વેટરનરી ઓફીસર વિઝિટ કરવામાં આવી હતી.

આ ગૌશાળા-પાંજરાપોળોમાં નિભાવવામા આવી રહેલા અબોલ જીવોની પશુસંખ્યા, પશુઆહાર, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય- સારવાર અને સાફ – સફાઇ વગેરે બાબતોની ખાતરી કરવામાં આવી હતી.

આમ મુન્દ્રા તાલુકામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી ગૌશાળાઓની અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના અમલીકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.


Share

Related posts

ગડખોલ ઓવરબ્રિજ પાસેથી જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ગોધરા માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને શાકભાજી નું વેચાણ

ProudOfGujarat

દહેજ : સુવા ગામે પાંચ ગાય અને એક વાછરડાનું કન્ટેનર સાથે અથડાતા મોત : ગામવાસી દ્વારા સમાધી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!