Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત, વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહીં આવતાં ખેડૂતોમાં રોષ…

Share

જંબુસર તાલુકાના પિલુદ્રા ગામ પાસેથી વી ઇ સી એલ કેનાલ પસાર થાય છે જેમાં વડોદરાની કેમીકલ કંપનીઓના પ્રદુષિત પાણી વહે છે જે માનવ જીવન માટે ખૂબ જ નુકસાનકર્તા છે.

પિલુદ્રા ગામનાં કહાનવા રોડ કેનાલ ચોકડી ગોકુળી વિસ્તારની આજુબાજુના ખેતરના ખેડૂતો ઘરવપરાશ તથા ખેતીના ઉપયોગ માટે પાણીનો બોર બનાવતા હોય છે પરંતુ તે બોરના પાણી લાલ કલરના નિકળતા આ વિસ્તારના ગ્રામજનોને પીવાના પાણી કે ઘરવપરાશ ખેતીના કામે ઉપયોગમાં લઈ શકાતા નથી. જે અંગે ગ્રામજનોએ ૨૦૧૭ થી ગામમાં લાલ પાણીની સમસ્યા અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે છતાંય આ પ્રશ્નનો કોઈ ઉકેલ નહી આવતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. લાલ પાણીને લઇ ખેતીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યુ છે તો ધરતીપુત્રો અને પીલુદ્રા સરપંચ બળવંતભાઇ રાઠોડ દ્વારા લાલ પાણીનાં પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવે તેવી તંત્રને વિનંતી કરવામાં આવી છે.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

લીંબડી જીએસ કુમાર વિદ્યાલય ખાતે એવોર્ડ મેળવનાર કલ્પેશ વાઢેરને સન્માનિત કરાયા.

ProudOfGujarat

નડિયાદ : શારિરીક માનસિક ત્રાસ ગુજારતા પીડીતાએ પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

લમ્પી વાયરસના કારણે જામનગર જિલ્લામાં કુલ 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!