Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રામ સવારીનું સ્વાગત કરાયું.

Share

સમગ્ર ભારતમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે કોઈપણ તહેવારો જાહેરમાં ઉજળી શકાતા નહોતા હાલ કોરોનાનો ખતરો ન હોવાથી તમામ તહેવારો જાહેરમાં ઉજવી શકાય છે. ગઈકાલે રામનવમીના દિવસે જામનગરમાં રામ સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેનું જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના ચાંદી બજાર ચોક ખાતે રામ સવારીનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ, મહામંત્રી પ્રકાશ બામણીયા, વિજયસિંહ જેઠવા, મૈયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમ એન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિતના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરો અને શહેર સંગઠનના વિવિધ મોરચાના પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ વોર્ડ નંબર નવના કોર્પોરેટર નિલેશ કગથરા ધીરેન્ મોનાણી ધર્મનાબેનસોઢા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણનાં જુના બજારના બ્રિજની રેલીંગ તોડી આઇસર ટેમ્પો નીચે ખાબક્યો

ProudOfGujarat

શહેરા તાલુકામાં ખેતતલાવડી યોજનાનું ₹ ૯૯,૪૯,૦૬૨ લાખનું મશમોટુ કૌભાડ. જમીન વિકાસ નિગમના નિયામક સહીત, સર્વેયર, સહીત ચાર સંચાલકો સામે ફરિયાદ.

ProudOfGujarat

સુરતના સરથાણા સીમાડા પોલીસે ચોકી ઉપર ફરજ ઉપરના પોલીસકર્મીઓ ખુલ્લેઆમ નાના મોટા ધંધાથી વાહન ચાલકો પાસે રૂ. ૫૦ થી રૂ. ૧૦૦ ગેરકાયદેસર રીતે ઉઘરાવતા હોવા સંદર્ભે સુરતના જ કેટલાક જાગૃત નાગરિકોએ સુરત પોલીસ કમીશનરને લેખીતમાં ફરિયાદ કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!