Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મૃત્યુ

Share

મહેમદાવાદના કોઠીપૂરા ઓએનજીસી ગેટ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતાનું મોત નિપજયુ હતુ જ્યારે ઘાયલ દિકરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે.

અમદાવાદના સિંગરવામાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચૌહાણ અને તેની દિકરી નેહલબેન મંગળવાર બપોરે મહેમદાવાદ સરસવણી ગામમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. દરમિયાન લગ્ન પ્રસંગ પૂર્ણ કરી સાંજના પિતા-પુત્રી બાઈક પર તેમના ઘરે સિંગરવા જવા નીકળ્યા હતા તે સમયે હલદરવાસના કોઠીપૂરા ઓએનજીસી ગેટ નજીક સામેથી આવતા બાઇકના ચાલકે રમેશના બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં રમેશ ચૌહાણને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ પર મોત નિપજયુ હતુ. જ્યારે દીકરી નેહલને શરીરે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વરમાં સાતમો AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન રાજ્યના સહકાર અને વાહન  મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું

ProudOfGujarat

૩૬ માં રાષ્ટ્રીય રમતોત્સવ અંતર્ગત વડોદરાવાસીઓને જોડવા યોજાયેલા રમતોના ફન સ્ટ્રીટમાં ઉમટી માનવ મેદની.

ProudOfGujarat

વરસાદી માહોલ વચ્ચે પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વરમાં કાળા કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે પડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!