માંગરોળ ગામે આવેલ ગાયત્રી મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા યોજાઇ હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે અને દીર્ઘાયુ તંદુરસ્ત જીવન માટે ભગવાન સત્યનારાયણની કથા યોજવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના તાલુકા સંયોજક ધર્મેશભાઈ વસાવા સોમસિહ ડોડીયા, વિપુલભાઈ પરમાર અક્ષયભાઈ વસાવા પ્રજ્ઞેશભાઈ વસાવા જગદીશભાઈ, કલ્પેશભાઈ પરમાર, સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીનાં તંદુરસ્ત જીવન દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ