Proud of Gujarat
INDIAFeaturedGujarat

મોરબી નગરપાલિકાની વેરા વસુલાત ઝુંબેશ, ૨૫૦ થી વધુ આસામીઓને આપી નોટીસ

Share

મોરબી નગરપાલિકા તંત્ર હવે વેરા વસુલાત માટે મેદાનમાં જોવા મળી રહ્યું છે જેમાં માર્ચ એન્ડીંગને ત્રણ માસ બાકી હોય ત્યારે વેરા વસુલાત માટે પાલિકાના વેરા વિભાગે ૫૦,૦૦૦ થી વધુ કરદાતાઓને બીલ મોકલી સમયસર વેરો ભરી જવા તાકીદ કરી છે તેમજ ૨૫૦ આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે અને કરવેરા ભરી જવા માટે તાકીદ કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા ટીમે વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી છે જેમાં નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ત્રણ મહિના જેટલો સમય બાકી છે ત્યારે બાકી વેરા વસુલાત માટે નોટીસ ઇસ્યુ કરવામાં આવી રહી છે મોરબી નગરપાલિકાએ ૫૦ હજારથી વધુ કરદાતાઓને બીલ મોકલ્યા છે અને સમયસર વેરા ભરી જવા જણાવ્યું છે જયારે ૧ લાખથી વધુ રકમના વેરા ભરવાના બાકી હોય તેવા ૨૫૦ કરદાતાઓને નોટીસ આપવામાં આવી છે હાલ ૭૫,૦૦૦ થી વધુ આસામીઓ પૈકી ૧૯,૦૦૦ આસામીઓ ૭.૮૨ કરોડનો કરવેરો ભરી ચુક્યા છે તો ૨૧.૯૮ કરોડના કરવેરાની વસુલાત બાકી છે ત્યારે પાલિકા તંત્રએ કરવેરા વસુલાત માટે કમર કસી છે.

Advertisement

Share

Related posts

વિરમગામના સામાજિક કાર્યકરે સરકારી દવાખાનામાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા લાઇટ વિભાગની ઢીલી કામગીરીથી નગરજનોમાં રોષ, પૂરતા કર્મચારીઓના અભાવે અનેક કમ્પ્લેન પેન્ડિંગ..!!

ProudOfGujarat

શક્તિપીઠ અંબાજી માતાજી મંદિરમાં અદભુત ગરીમાં અને ચમત્કાર… ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!