Proud of Gujarat
FeaturedGujaratINDIA

અક્ષય કુમારનાં માતા અરુણા ભાટિયાનું નિધન : એક્ટરે ઇમોશનલ પોસ્ટ શૅર કરી.

Share

આજે સવારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતાનું અરુણા ભાટિયાનું મૃત્યુ થયું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શૅર કરીને આ વાતની જાણકારી આપી. આવતીકાલે એટલે કે 9 સપ્ટેમ્બરે અક્ષય કુમારનો 54 મો જન્મદિવસ છે, એના એક દિવસ પહેલાં તેની માતાનું અવસાન થયું. અરુણા ભાટિયાએ હીરાનંદાની હોસ્પિટલમાં આજરોજ સવારે છ થી સાતની વચ્ચે અંતિમ શ્વાસ લીધા હતા. અરુણા ભાટિયાને શુગરનો પ્રોબ્લેમ હતો.

અક્ષયે પોસ્ટમાં લખ્યું, ‘તેઓ મારો મહત્વનો ભાગ હતાં. તેમની વિદાયથી આજે મને અસહનીય દુઃખ થઇ રહ્યું છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ચાલ્યાં ગયાં. હું તમારી પ્રાર્થનાઓનું સન્માન કરું છું. હાલ હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઓમ શાંતિ.’

Advertisement

તેમની માતાની તબિયત ઘણા દિવસથી ખરાબ હતી અને તેમને મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. પરિવારના આગ્રાહ પર હોસ્પિટલે અરુણા ભાટીયાની ટ્રીટમેન્ટ ડિટેલ્સ જાહેર નથી કરી. શુક્રવારની સાંજે તેમની માતાને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અક્ષય કુમાર તેમની માતાથી ખૂબ નજીક હતા. જ્યારે તેમની માતાની તબિયતની ખબર મળી તેઓ લંડનથી તરત જ મુંબઇ પરત ફર્યા હતા.


Share

Related posts

ભરૂચ : આલી ડીગીવાડ ખાતે ભરૂચ બી ડીવીઝન પોલીસે જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી વિસ્તારમાંથી વીજ કંપની દ્વારા ૨૦ લાખની વીજચોરી ઝડપાઇ.

ProudOfGujarat

ભરૂચમાં જન શિક્ષણ સંસ્થાન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” સમર્પિત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!