Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુંબઈના ગોરેગાંવમાં 7 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં 7 લોકોનાં મોત

Share

ગઈકાલે મોડી રાત્રે મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આગને કારણે 40 થી વધુ લોકો દાઝી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બે ની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30 થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, હાલમાં કુલિંગનું કામ ચાલી રહ્યું છે.

Advertisement

સ્થાનિકોના જણાવ્યા અનુસાર લોકો, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું બધું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. થોડીક જ વારમાં આખા પાર્કિંગ અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળને આ આગે લપેટમાં લઈ લીધું. જોકે પોલીસ અને ફાયર બ્રિગેડ આગના કારણની તપાસ કરી રહી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ ભાદી ગામ ખાતે બેખોફ અને બિન્દાશ અંદાજ માં ધમધમતા જુગાર ધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી લાખ્ખો ના મુદ્દામાલ સાથે ૧૫જેટલા જુગારીઓને ઝડપી પાડતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો….

ProudOfGujarat

બ્રહ્માકુમારીઝ દ્વારા નડીઆદની સમાજસેવા અગ્રણીઓનો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં બર્ડ ફલુની દહેશતને લઇ તંત્ર એલર્ટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!