Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાંથી મૃતક નવજાત શિશુ મળી આવતા ચકચાર.

Share

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાં એક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતાં ચકચાર જાગી છે. આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલ સંતરામ સોસાયટીમાં પાછળના ભાગે આ વિસ્તારમાં રહેતા એક મહિલા કપડાં સૂકવવા જતા ત્યાં સોસાયટીના ઘર પાછળ પ્લાસ્ટિકની બેગમાં મૂકેલું મૃત હાલતમાં એક નવજાત બાળક જોઈ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ મહિલાએ ઘરના સભ્યોને વાત કરતા સભ્યો દ્વારા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. નડિયાદમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા તાત્કાલિક ધોરણે નડિયાદ ટાઉન પોલીસ સંતરામ સોસાયટીમાં પહોંચી હતી, આ બાળક અહીં કોણ મૂકી ગયું ? કોનું બાળક છે? તે સહિતની તપાસ ટાઉન પોલીસે શરૂ કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા : જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા નર્મદા જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા આવેદન પાઠવાયું.

ProudOfGujarat

નડિયાદ : વડતાલમાં ચૈત્રી સમૈયાની પૂર્ણાહુતી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા NEET તથા JEE નું પરિણામ આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!