Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાંથી મૃતક નવજાત શિશુ મળી આવતા ચકચાર.

Share

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાં એક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતાં ચકચાર જાગી છે. આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલ સંતરામ સોસાયટીમાં પાછળના ભાગે આ વિસ્તારમાં રહેતા એક મહિલા કપડાં સૂકવવા જતા ત્યાં સોસાયટીના ઘર પાછળ પ્લાસ્ટિકની બેગમાં મૂકેલું મૃત હાલતમાં એક નવજાત બાળક જોઈ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ મહિલાએ ઘરના સભ્યોને વાત કરતા સભ્યો દ્વારા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. નડિયાદમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા તાત્કાલિક ધોરણે નડિયાદ ટાઉન પોલીસ સંતરામ સોસાયટીમાં પહોંચી હતી, આ બાળક અહીં કોણ મૂકી ગયું ? કોનું બાળક છે? તે સહિતની તપાસ ટાઉન પોલીસે શરૂ કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૧૦૯૧ મિ.મિ.વરસાદ નોંધાયો.

ProudOfGujarat

સુરતનાં સાયન્સ સેન્ટર ખાતે 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખડી તૈયાર કરાઈ, 56 ભોગ વાનગી સાથે વિવિધ સરકારી યોજનાની માહિતી અપાઈ

ProudOfGujarat

અંકલેશ્વર નોટીફાઈડ એરીયાના ચીફ ઓફિસરના વર્તનથી લોકો ખફા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!