Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાંથી મૃતક નવજાત શિશુ મળી આવતા ચકચાર.

Share

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાં એક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતાં ચકચાર જાગી છે. આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલ સંતરામ સોસાયટીમાં પાછળના ભાગે આ વિસ્તારમાં રહેતા એક મહિલા કપડાં સૂકવવા જતા ત્યાં સોસાયટીના ઘર પાછળ પ્લાસ્ટિકની બેગમાં મૂકેલું મૃત હાલતમાં એક નવજાત બાળક જોઈ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ મહિલાએ ઘરના સભ્યોને વાત કરતા સભ્યો દ્વારા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. નડિયાદમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા તાત્કાલિક ધોરણે નડિયાદ ટાઉન પોલીસ સંતરામ સોસાયટીમાં પહોંચી હતી, આ બાળક અહીં કોણ મૂકી ગયું ? કોનું બાળક છે? તે સહિતની તપાસ ટાઉન પોલીસે શરૂ કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મધ્યપ્રદેશના સતના જેલ અધિક્ષક દ્વારા ફરાર કેદી પકડવામાં મદદરૂપ થનાર ઝઘડિયા જીઆઇડીસી પોલીસનું સન્માન કરવામાં આવ્યું

ProudOfGujarat

અમદાવાદ-કાલુપુરની રાજેશ મણિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી રૂ 50 લાખ લઈ થયા ફરાર…

ProudOfGujarat

લોકડાઉનમાં સૌથી મોટા રાહતના સમાચાર, 12 મે થી રેલ્વે દ્વારા 15 ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય,જાણો ક્યાં કયાં દોડશે ટ્રેન, કંઈ રીતે મેળવશો ટીકીટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!