Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ઉપસરપંચ તરીકે મનીશાબા રાઠોડની વરણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ત્રીપાંખીયો જંગ યોજાયો હતો. જેમાં સરપંચ પદે કાલિદાસ વસાવા વિજયી થયા હતા. ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણી માટે આજરોજ ગ્રામ પંચાયતની બેઠક મળી હતી, આ બેઠકમાં ઉપ સરપંચ તરીકે ઝઘડીયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડના પત્નિ મનીશાબા રાઠોડની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ કાલિદાસ વસાવા, અગ્રણી ઇમ્તિયાજઅલી સૈયદ, ગ્રામ પંચાયત સદસ્ય નિલેશ ચૌહાણ, પ્રકાશ દેસાઇ તેમજ અગ્રણીઓ અને પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ તેમજ ઉપ સરપંચે સહુનો આભાર વ્યક્ત કરીને તેઓ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહેશે એવી લાગણી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં પુણા ગામ માતૃશક્તિ સોસાયટીના રહીશોએ નજીકમાં વહેતી કોહીલી ખાડીનાં દુર્ગંધ મારતા પાણીનાં મુદ્દે અનોખો વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

ભરૂચ માં નર્મદા નદી સૂકી ભઠ્ઠ બનતા માછીમારોની કાળા વાવટા સાથે વિશાળ રેલી ….

ProudOfGujarat

નેશનલ હાઇવે 56 ના જમીન સંપાદન અંતર્ગત ઝંખવાવ ગામે અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!