Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : વડતાલધામને દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું.

Share

દીપાવલી પર્વના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણની રમણભૂમિ એવા વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરને ગોલ્ડન રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિપાવલી પર્વ બાદ કારતક સુદ નોમથી ભગવાન શ્રી હરિએ બાંધેલ કાર્તિકી (પ્રબોધિની સમૈયો) નો પ્રારંભ થશે, સાથે સાથે વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો ૧૯૮ મો વાર્ષિક પાટોત્સવ પણ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. દેવ દિવાળી સુધી ચાલનાર આ સમૈયા દરમ્યાન વડતાલ મંદિર રોશનીથી ઝળહળી ઉઠશે. અને રાત્રિનો નજારો જોવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડે છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગણતરીના કલાકોમા માંડવા-મુલદ ટોલ નાકા ખાતે થયેલ ધાડ ના આરોપીને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે ચોરીની ઘટના બની જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંદર્ભે પાલેજ તેમજ ભરૂચ પોલીસ દ્વારા પાલેજ તેમજ ટંકારિયામાં BSF ની ફ્લેગ માર્ચ યોજાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!