Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના લખાવાડમા રૂપિયા ૧.૬૫ લાખની ચોરી કરી તસ્કરો ફરાર

Share

નડિયાદના ડુમરાલ બજારના લખાવાડમાં રહેતા મોહિત પટેલ આણંદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે.બુધવારે સવારે પત્ની પિયરમાં ગયા હતા અને  તે જ દિવસે સાંજે મોહિત ઘરને તાળું મારી સાસરીમાં ગયા હતા. દરમિયાન ગુરૂવાર સવારે પડોશીએ મોહિતને ફોન કરી ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હોવાનુ જણાવતા મોહિત નડિયાદ ઘરે આવ્યા હતા.ઘરે આવીને જોયું તો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી  હતો તેમજ ઘરની અંદર તપાસ કરતા ફ્રીજ પર ડબ્બામાં મૂકેલ રોકડ રૂ. ૧૦ હજાર અને સાસરીમાંથી મળેલ સોનાની ચેન પેન્ડલ, સોનાનો જેટ, સોનાની વીંટી અને ૪૦ હજાર રોકડ  કુલ મળી રૂ ૧.૬૫ લાખની મત્તાની ચોરી થઇ હતી અને આસપાસમાં લખાવાડ નજીકના અન્ય બે મકાનમાં પણ ચોરી થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ અને રાતના ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા ઇસમો બાઇક પર આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષનાં નિશ્ચિત સ્થાપનાનાં સ્થળે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા અંગેનું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નોવર્સ હોટલ સામે થયેલ અકસ્માતમાં પોલીસ કર્મચારીનાં પુત્રનું મોત નીપજયું.

ProudOfGujarat

જામીન પર ફરાર થયેલ કેદીને આણંદથી પકડી પાડતી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!