Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના પ્રગતિનગરમાં લગ્ન પ્રસંગના મંડપ ઉપર વીજ પોલ પડતા નાસભાગ મચી

Share

નડિયાદમાં આવેલ પ્રગતિ નગરમાં ગત રાત્રીના સમયે જર્જરીત ફ્લેટનું છજ્જુ વિજ વાયરો ઉપર પડયુ હતો જેના લીધે લાઇટ બંધ થઈ ગઈ હતી. સ્થાનિકોએ એમ.જી.વી.સી.એલ ને જાણ કરી હતી.  જ્યારે સવારે માણસો વિજ પોલ નાંખવાની કામગીરી કરવા આવ્યા હતા ત્યા વિજ પોલ નાંખવાની કામગીરી ચાલી રહેલી તે દરમિયાન વિજ પોલ લગ્ન મંડપ ઉપર પડતા મંડપ તુટી ગયો હતો અને નાસભાગ મચી ગઇ હતી સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. આ થાંભલો પડતા જમણવાર બગડતા પરીવારે રોષ વ્યક્ત કર્યો હતો.  પ્રગતિનગરમા રહેતા રિદ્ધિબેન પ્રવિણભાઈ સોલંકીના લગ્નની વિધિ ચાલતી હતી અને બીજી બાજુ એમ.જી.વી.સી.એલે દ્વારા માણસો નવો વિજ પોલ નાંખવાની કામગીરી કરી રહ્યા હતા આ માણસો નશાની હાલતમા કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળના ઝંખવાવ ગામે એલોપેથિક સારવારની ડિગ્રી વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનો અડીંગો હોવાના પગલે પશુઓ પકડી પશુ મુકત રસ્તા અભિયાન અર્થે અપાયેલ કોન્ટ્રાકટરનું શું થયું તે અંગે ચાલતી ચર્ચા.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નાલંદા સોસાયટી પાસે પુનિતનગર સોસાયટીને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!