Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડીયા કોલોની ખાતે નિગમના સરકારી મકાનોના ભાડાંખાતાં મકાન માલિકો સામે ક્યારે પગલા લેવાશે ?

Share

તંત્રની મીલીભગતથી પૈસા કમાવવાનો વેપલો.

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કે.કોલોની ખાતેની સ.ન.નિ કચેરી દ્વારા નિગમના તેમજ બિનનિગમના કર્મચારીઓને નિગમના નીતી નિયમો નેવે મુકીને સરકારી મકાનો માત્ર રહેવાના(પોતે) હેતુથી ફાળવી આપેલ છે પરંતુ અહિતો મકાન માલિકો પોતે ન રહેતાં આવા મકાનો અન્ય લોકોને ભાડે આપી સરકારી મકાનોનાં ભાડાંખાવાનો વેપલો શરૂ કર્યો છે કે.કોલોની ખાતે ફાળવેલા મકાનોમાંથી ૭૦% મકાનોમાં મકાન માલિકો પોતે રહેતાં ન હોવાની તેમજ ભાડાંખાતાં હોવાની બુમો ઉઠી છે. સરકારી કચેરીની મીલીભગતથી આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અધિકારીઓ આવાં મકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરતાં નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. શું અધિકારીઓ પૈસા ખાતા હશે ? શું અધિકારેઓ પર કોઈ રાજકીય દબાણ હશે ? વગેરે જેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. સરકારી મિલકતોનાં ભાંડાખાતાં મકાન માલિકો સામે તંત્ર યોગ્ય પગલા લેશે ખરા ? કે પછી આવાં લોકોનો બચાવ કરશે તે હવે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટી દ્વારાતા. ૨૬, ૨૭ ના રોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

સુરત:પુનાગામ વિસ્તારમાં DGVCL ની ઘોર બેદરકારી.વીજ થાંભલાને અડી જતા યુવતીનું મોત.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા…

ProudOfGujarat

સુરત : આગામી 31 મી ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીને જોતાં વ્યાપક પ્રમાણમાં દારૂનાં જથ્થાનું વહન રોકવા સુરત પોલીસતંત્રએ કમર કસી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!