Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીના 400 વર્ષ જૂના વિરવાડી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાઇ.

Share

કોરોના મહામારીમાં અનેક તહેવારો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના હળવો થતાં રાજ્યમાં તમામ છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે નવસારીમાં આવેલા 400 વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. વિરવાડી હનુમાન મંદિરમાં 40 વર્ષ બાદ દાદાને સોનાના વરખથી શણગાર કરવામાં આવ્યો હતો, જેને જોવા દૂર દૂરથી લોકો આવ્યા હતા. વિરવાડી હનુમાન મંદિર દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક અનેરો મહિમા ધરાવે છે. દક્ષિણ ગુજરાતનું સાળંગપુર કહેવાતું વિરવાડી હનુમાન મંદિર ભાવિક ભક્તો માટે બે વર્ષ બાદ ખુલ્લું મુકાતાં ભારે ઉત્સાહ ભર વાતાવરણ વચ્ચે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

નવસારીમાં આવેલા વીરવાડી હનુમાન મંદિરને બીજું સાળંગપુર કહેવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પુરા કરે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે. આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં રડતા રડતા આવે છે અને હસતા હસતા અહીંથી ઘરે પાછા જાય છે. આજે હનુમાન જયંતિના દિવસે વિરવાડી હનુમાન મંદિરમાં અંદાજીત 35 થી 40 હજાર લોકો આવવાની સંભાવના છે. જેને લઇને મંદિર પ્રશાસને પણ તમામ ભક્તો માટે અનેક વ્યવસ્થાઓ કરી છે, જેથી કરીને દાદાના દર્શન તમામ ભક્તોને થઈ શકે.

પરિમલ મકવાણા નવસારી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-રોયલ સનાતન ગ્રુપ દ્વારા ગ્રુપના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન નો આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ગોધરા ખાતે” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત ફીટ ઈન્ડીયા ફ્રીડમ ના સુત્રને ઉજાગર કરતી ભાઇઓ માટેની ૨ કિ.મી. દોડ યોજાઇ.

ProudOfGujarat

નવસારીના વેસ્મા ઓવરબ્રિજ પર એક ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, બે વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!