Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધાર્મિક પ્રવાસથી પરત ફરેલા કરજણનાં પ્રવાસીઓનું આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું.

Share

આખું વિશ્વ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયુ છે ત્યારે ગુજરાતમાં પણ આ બાબતે તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. મિયાગામ કરજણથી તા.૧૫ માર્ચનાં રોજ ૫૮ લોકો ધાર્મિક સ્થળો જેવા કે ઉજ્જૈન,ઓમકારેશ્વર,ચિત્રકૂટ,બનારસ,અયોધ્યા,છપૈયા,ઇલ્હાબાદ ગયાં હતાં. તેઓ આજે ૨૪ માર્ચનાં રોજ પાછા ફર્યા છે. પરત ફરેલા પ્રવાસીઓ સ્વસ્થ છે કે નહીં માટે આખી બસને આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી તેમાં તમામ સવાર યાત્રીઓનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કરજન રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબો ડોક્ટર બીપીન ભટ્ટ(મેડિકલ ઓફિસર કરજણ)તેમજ ડોક્ટર ચૌધરી તેમજ સ્ટાફ પીનલબેન,રેખાબેન,લક્ષ્મીબેન નાઓએ મેડીકલ ચેકઅપની કામગીરી બજાવી હતી. મેડિકલ ઓફીસરનાં જણાવ્યાં અનુસાર ધાર્મિક પ્રવાસેથી પરત આવેલા મિયગામ કરજણ વિસ્તારનાં ૫૮ પ્રવાસીઓની તાવ,ખાંસી,ઉધરસની તપાસ કરવામાં આવી હતી. તેઓમાંથી કોઈને પણ તાવ, ખાંસી, ઉધરસ જણાય આવેલું નથી. ત્યારબાદ તેઓને ઘરે જવા દેવામાં આવ્યા હતા.પ્રવાસીઓએ મેડિકલ પરીક્ષણમાં સહકાર આપ્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં રંગોળી અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

યુ.એસ. માં રહેતા રાજપીપલાના વતનીએ નાની બાળકીઓને ગૌરીવ્રતની અનોખી રીતે ઉજવણી કરાવી.

ProudOfGujarat

વડોદરા : ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજની કામગીરી માટે રાજ્ય સરકારે 100 કરોડ ફાળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!