Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં હાલોલનાં શિવરાજપુર ખાતે મોબાઇલ પશુ દવાખાનાનું મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.

Share

કૃષિ, પંચાયત અને પર્યાવરણ (રાજ્ય) મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી હાલોલની પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પૂરું પાડી દરેક જીવને અભયદાનનો મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે આજે મોબાઇલ પશુ દવાખાનું કાર્યરત કર્યું છે. જે રીતે માનવ જીવ બચાવવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થઈ છે તે રીતે આજે કાર્યરત કરાયેલા આ હરતા-ફરતા દવાખાનાઓ પશુપાલકોની અમૂલ્ય જણસ એવા પશુઓનાં જીવ બચાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે તેમ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું. પંચમહાલ પંથકનાં પશુપાલકોને પોતાના પશુનાં રક્ષણ અર્થે આવા ૧૩ મોબાઈલ પશુ દવાખાના ફાળવવામાં આવનાર છે.

જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં હાલોલ તાલુકામાં ૧ અને શહેરા તાલુકામાં ૧ મોબાઈલ પશુ દવાખાના આપવામાં આવ્યા છે. જેના થકી શિવરાજપુર સહિત આસપાસનાં વિસ્તારનાં ૧૦ ગામનાં પશુપાલકોને તેમના ચાર હજાર જેટલા પશુઓની ઘરેબેઠા આરોગ્ય સંભાળ સુવિધા આવનારા દિવસોમાં મળતી થવાની છે. એટલું જ નહિ, જિલ્લાને જે ૧૩ મોબાઈલ પશુ દવાખાના મળશે તેનાથી અંદાજે ૩ લાખ પશુઓને આરોગ્ય રક્ષા કવચ ઘરે બેઠાં પૂરો પડાશે તેવો વિશ્વાસ કૃષિમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે વ્યક્ત કર્યો હતો. માનવ આરોગ્યની ત્વરિત તાત્કાલિક અને સુગમ સારવાર માટે જેમ ૧૦૮ની સેવાઓ હાલ કાર્યરત છે, તેવી જ રીતે પશુપાલકો માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના મૂલ્યે ગામમાં બેઠા પશુ સારવાર પશુપાલકોને મળી રહેશે. તે માટે આ ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના પશુ સારવાર સેવા માટે અતિ મહત્વનું કદમ બનશે તેવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો. હાલોલ તાલુકા માટે અપાયેલ આ મોબાઈલ પશુ દવાખાનાથી શિવરાજપુર અને આજુબાજુના ડાભણ, બેઢિયાપુરા, બાપોટિયા, નાની રણભેટ, પાલનપુર, કન્ટેલી, જીમિયાપુરા, સુઘરા, મોટી રણભેટ, ભાટ ગામના પશુપાલકો તેમના પશુઓની વિનામૂલ્યે સારવાર કરાવી શકશે. આ યોજના મારફતે નિ:શુલ્ક પશુસારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીશ્રીનાં ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ થઇ શકશે અને સાથે-સાથે કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સરપંચોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ સેવાઓ દ્વારા રાજ્યમાં અબોલ-મૂંગા પશુજીવોની સારવારનું – જીવદયાનું શ્રેષ્ઠ કામ થઇ રહ્યું છે. આ પ્રસંગે તાલુકા પંચાયતનાં પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા, પ્રાંત અધિકારશ્રી એ.કે.ગૌતમ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઉજવણી સરકારી કચેરીઓ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

ભરૂચ : આજે લાભ પાંચમનાં દિવસે વેપારીઓએ વિધિવત નવા વર્ષમાં ધંધાની શરૂઆત કરી.

ProudOfGujarat

ખેતતલાવડી કૌભાંડમાં તપાસનો ધમધમાટ : શહેરા પોલીસ પી.આઇ. હસમૂખ સિસારાએ ગોધરા સ્થિત જમીન વિકાસ નિગમની કચેરીએ તપાસ હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!