Proud of Gujarat
FeaturedGujarat

પાનોલી: સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ…

Share

દિનેશભાઇ અડવાણી

પાનોલી જી.આઈ.ડી.સી.ની સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી આસપાસની જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.અંકલેશ્વર-પાનોલી જી.આઈ.ડી.સી ની કેટલીક બેજવાબદાર કંપનીઓ વરસાદી વાતાવરણમાં હવા,પાણી સહિતના પ્રદુષણ ફેલાવવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બે દિવસથી પાનોલી જી.આઈ.ડી.સીમા વરસાદી વાતાવરણ વચ્ચે સનફાર્મા કંપની દ્વારા છુપી રીતે કેમિકલ યુક્ત પાણી બહારની બાજુએ છોડી મુક્યું હતું.જે કેમિકલ યુક્ત પાણીની જાણ ખરોડ ગામના રહીશોને થતા તેઓએ તાત્કાલિક સ્થળ પર આવી જઈ કેમિકલ યુક્ત પાણી અંગે જી.પી.સી.બી.ના અધિકારીને જાણ કરી હતી.જેને પગલે જી.પી.સી.બી ની ટીમ ત્વરિત સ્થળ પર દોડી આવી પાણીના નમુના લેવાની તજવીજ હાથ ધરી હતી. અવારનવાર હવા અને કેમિકલ યુક્ત પાણી છોડી આસપાસના વિસ્તારોને પ્રદુષિત કરતા આવા બેજવાબદાર ઉદ્યોગો સામે જી.પી.સી.બી.ક્લોઝર નોટીસ ફટકારી તેઓ સામે કડક પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

આજે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, જાણો તેનો ઈતિહાસ અને 2022 ની થીમ.

ProudOfGujarat

સુરત-ઓલપાડના પરા વિસ્તારમાં બે લોકોએ અંગત અદાવતમાં એક વ્યકિત ઉપર કર્યુ પાંચ રાઉન્ડ ફાયરીંગ,,!!

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા વાર્ષિક અયપ્પા પૂજાનું આયોજન કરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!