Proud of Gujarat
FeaturedGujarat

પાનોલી: સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ…

Share

દિનેશભાઇ અડવાણી

પાનોલી જી.આઈ.ડી.સી.ની સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી આસપાસની જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.અંકલેશ્વર-પાનોલી જી.આઈ.ડી.સી ની કેટલીક બેજવાબદાર કંપનીઓ વરસાદી વાતાવરણમાં હવા,પાણી સહિતના પ્રદુષણ ફેલાવવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બે દિવસથી પાનોલી જી.આઈ.ડી.સીમા વરસાદી વાતાવરણ વચ્ચે સનફાર્મા કંપની દ્વારા છુપી રીતે કેમિકલ યુક્ત પાણી બહારની બાજુએ છોડી મુક્યું હતું.જે કેમિકલ યુક્ત પાણીની જાણ ખરોડ ગામના રહીશોને થતા તેઓએ તાત્કાલિક સ્થળ પર આવી જઈ કેમિકલ યુક્ત પાણી અંગે જી.પી.સી.બી.ના અધિકારીને જાણ કરી હતી.જેને પગલે જી.પી.સી.બી ની ટીમ ત્વરિત સ્થળ પર દોડી આવી પાણીના નમુના લેવાની તજવીજ હાથ ધરી હતી. અવારનવાર હવા અને કેમિકલ યુક્ત પાણી છોડી આસપાસના વિસ્તારોને પ્રદુષિત કરતા આવા બેજવાબદાર ઉદ્યોગો સામે જી.પી.સી.બી.ક્લોઝર નોટીસ ફટકારી તેઓ સામે કડક પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

નબીપુર-વરેડીયા વચ્ચે ઓવરબ્રિજ કામગીરી શરૂ : લેવલ ક્રોસિંગ નં. ૧૯૧ વાહનવ્યવહાર માટે બંધ, રૂટ ડાયવર્ઝન જાહેર

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢચુંદડી ગામના ખેડૂતને ચાર અજાણ્યા શખ્સોએ બેંકમાં ખેડૂતને વાતોમાં ભોળવી નજર ચુકવીને ખેડૂત પાસે રહેલા થેલામાંથી રૂપિયા 50,000 ઉઠાવી ફરાર થઈ ગયા હતા. ખેડૂતે આ અંગે ગોધરા A ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ProudOfGujarat

જનની સાથેની આત્મિયતાને જાળવવા અથવા એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કરતા વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!