Proud of Gujarat
FeaturedGujaratINDIA

પૂણે-નાસિક હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 ના મોત, 14 ઇજાગ્રસ્ત

Share

મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક વેને 17 મહિલાઓને કચડી નાખી હતી જેમાં 3 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે આ અકસ્માતમાં 14 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ભયાનક માર્ગ અકસ્માત પુણે-નાસિક હાઈવે પર ખારાપુડી પાસે થયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે રસ્તો ક્રોસ કરતી વખતે એક વેને 17 મહિલાઓને ટક્કર મારી હતી. તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને ચંદૌલીની ખાનગી અને ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ તમામ મહિલાઓ પુના શહેરથી ઘેડ તાલુકાના શિરોલી ખાતે મંગલ ઓફિસમાં રસોઈ બનાવવા માટે જઈ રહી હતી. આ મહિલાઓ રાત્રિના સમયે હાઈવે ક્રોસ કરતી હતી. પુણેથી નાશિક જતી લેન પર રાત્રે લગભગ 11:00 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરતી વખતે એક વેને આ મહિલાઓને ટક્કર મારી હતી. મહિલાઓને કચડી નાખ્યા બાદ ડ્રાઈવર રોડ ડિવાઈડર તોડી વાન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે એનએફઓ- બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ

ProudOfGujarat

નર્મદાના નિલકંઠધામ-પોઈચા ખાતે આયોજીત “રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

નંદેલાવ બ્રીજના સમારકામ દરમ્યાન તા.૦૫ ફેબ્રુઆરી થી ૦૯ ફેબ્રુઆારી ૨૦૨૩ સુધી વૈકલ્પિક માર્ગ ફાળવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!